ગુજરાત વિધાનસભાના ચાર દિવસના ચોમાસુ સત્રનો આવતી કાલથી પ્રારંભ, આ મહત્વના બિલ રજૂ કરવામાં આવશે


  • Published By :
  • Published Date : 2023-09-12 18:32:26

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આવતી કાલે બુધવારથી શુભારંભ થશે. શરૂ થશે. વિધાનસભાનું આ સત્ર 3 દિવસના બદલે 4 દિવસ માટે મળશે. આગામી 13, 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર મળશે. આ વિધાનસભા સત્રમાં 9ના બદલે 10 જેટલા વિધેયક થતાં એક દિવસ વધારવામાં આવ્યો છે. આવતીકાલે શરૂ થતા ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલી ઝવેર કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ દરમિયાન આજે વિધાનસભાના ચોમાસું સત્ર માટે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી.  જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં 4 દિવસના ચોમાસુ સત્ર અંગે ધારાસભ્યોને માર્ગદર્શન અપાયું હતું. 


આ બીલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે


ગુજરાત વિધાનસભાના આ સત્ર દરમિયાન જીએસટી સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન વિધેયક, ઓબીસી અનામત સંબંધી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ તમામ કામકાજની કેબિનેટ દ્વારા બહાલી આપી દેવામાં આવી છે. હવે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે.


ભાજપના ધારાસભ્યોની બેઠક


ભાજપના ધારાસભ્યોની આજે સાંજે ચાર વાગે કાર્યકારિણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ વિધાનસભામાં પ્રથમ વખત મળતા સત્ર અંગે ખાસ ઉપયોગ અંગે માહિતી અપાઈ હતી. 9 વિધેયક અંગે ક્યાં વિધાયેકમાં કેવી રીતે રજૂઆત કરવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત 2 સરકારી સંકલ્પમાં વિષય અનુસાર પોતાનો પક્ષ મૂકવા, વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના સંભવિત પ્રયાસો ખાળવા અંગે માર્ગદર્શન અપાયું હતું. વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનારી કામગીરીને મંજુરી આપવામાં આવશે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન વિધેયકો અને સરકારી કામકાજને મંજુરી આપવામાં આવશે.


ભાજપના MLAsને 3 લાઈનની વ્હીપ જાહેર


ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શિસ્ત ને લઈને ત્રણ લાઈનની વ્હીપ જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે જેમાં ત્રણ દિવસના વિધાનસભાના સત્ર માટેની રણનીતિને આખરી કરવામાં આવશે. આવતીકાલે શરૂ થતા ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલી ઝવેર કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!