Gujarat : જાણો વરસાદ વિદાય લેતા પહેલા ક્યાં મન મૂકીને વરસશે, આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-27 16:48:02

ગુજરાતમાં થોડા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ મુખ્યત્વે અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો. દેશના અનેક રાજ્યો છે જ્યાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી શક્યતા નહીંવત છે. કારણ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી જે વરસાદ લઈને આવે. 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. એવું મનાય છે રાજસ્થાનથી પહેલા ચોમાસુ વિદાય લે છે તે બાદ બીજા રાજ્યોમાંથી વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે. 


Image

અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ 

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. ધબધબાટી બોલાવી હતી. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે જગતનો તાતે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જેને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે ચોમાસુ વિદાય તરફ છે. જતા જતા અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે.   


Image

Image


વરસાદને લઈ હવામાન વિભાગે કરી છે આ આગાહી

28 તારીખ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનાગઢ, ભાવનગર, ભરૂચ,નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે. તે સિવાય  29 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહી મુજબ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 30 સપ્ટેમ્બરે જૂનાગઢ, વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. .

Image

Image


અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ નથી વરસ્યો 

હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરને રોજ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં 24 કલાક દરમિયાન ક્યાં વરસાદ વરસ્યો તે અંગેની માહિતી આપવામાં આવી છે. સુરતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ, નર્મદા, અમરેલી, જૂનાગઢ, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં નોંધાયો છે.એકદમ હળવો વરસાદ કચ્છ, રાજકોટ, ખેડા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસ્યો હતો. જામનગર, સુરેન્દ્રનગર, વડોદરા, મોરબી સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નથી વરસ્યો.       


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ઓક્ટોબરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને વાવાઝોડું આવવાની સંભાવના છે. બંગાળ ઉપસાગરમાં 30મી સપ્ટેમ્બરે લો પ્રેસર સર્જાશે જે ગુજરાતમાં વરસાદને લઈને આવશે. મ્યાનમારના માર્ગે પૂર્વી ભારત તરફ આગળ વધશે. 7મી ઓક્ટોબર બાદ જે સિસ્ટમ સક્રિય થવાની છે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!