Gujarat : જાણો વરસાદ વિદાય લેતા પહેલા ક્યાં મન મૂકીને વરસશે, આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-27 16:48:02

ગુજરાતમાં થોડા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ મુખ્યત્વે અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો. દેશના અનેક રાજ્યો છે જ્યાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી શક્યતા નહીંવત છે. કારણ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી જે વરસાદ લઈને આવે. 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. એવું મનાય છે રાજસ્થાનથી પહેલા ચોમાસુ વિદાય લે છે તે બાદ બીજા રાજ્યોમાંથી વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે. 


Image

અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ 

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. ધબધબાટી બોલાવી હતી. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે જગતનો તાતે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જેને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે ચોમાસુ વિદાય તરફ છે. જતા જતા અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે.   


Image

Image


વરસાદને લઈ હવામાન વિભાગે કરી છે આ આગાહી

28 તારીખ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનાગઢ, ભાવનગર, ભરૂચ,નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે. તે સિવાય  29 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહી મુજબ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 30 સપ્ટેમ્બરે જૂનાગઢ, વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. .

Image

Image


અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ નથી વરસ્યો 

હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરને રોજ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં 24 કલાક દરમિયાન ક્યાં વરસાદ વરસ્યો તે અંગેની માહિતી આપવામાં આવી છે. સુરતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ, નર્મદા, અમરેલી, જૂનાગઢ, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં નોંધાયો છે.એકદમ હળવો વરસાદ કચ્છ, રાજકોટ, ખેડા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસ્યો હતો. જામનગર, સુરેન્દ્રનગર, વડોદરા, મોરબી સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નથી વરસ્યો.       


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ઓક્ટોબરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને વાવાઝોડું આવવાની સંભાવના છે. બંગાળ ઉપસાગરમાં 30મી સપ્ટેમ્બરે લો પ્રેસર સર્જાશે જે ગુજરાતમાં વરસાદને લઈને આવશે. મ્યાનમારના માર્ગે પૂર્વી ભારત તરફ આગળ વધશે. 7મી ઓક્ટોબર બાદ જે સિસ્ટમ સક્રિય થવાની છે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.  



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.