રાહુલ ગાંધીને સજા સંભળાવનારા એચએચ વર્મા સહિત 68 જજોના પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારાયું, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-05 18:34:01

મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરનાર જસ્ટિસ એચએચ વર્મા સહિત ગુજરાતના 68 જજોની બઢતીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જસ્ટિસ એમઆર શાહની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચ 8મી મેના રોજ પ્રમોશનને પડકારતી અરજી પર સુનાવણી કરશે. 


68 જજોને 65 ટકા ક્વોટા સિસ્ટમના આધારે પ્રમોશન


ગુજરાત સરકારે આ 68 જજોને 65 ટકા ક્વોટા સિસ્ટમના આધારે પ્રમોશન આપ્યું છે. આ પછી, આ ન્યાયાધીશોને નવી જગ્યાઓ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ બઢતી પામેલા જજો હાલમાં ગુજરાત જ્યુડિશિયલ એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે. દરમિયાન પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા આ મામલે નવો વળાંક લીધો છે.


પ્રમોશન રદ કરવાની માંગ


ગુજરાતના 68 ન્યાયાધીશોના પ્રમોશનને સિનિયર સિવિલ જજ કેડરના બે જ્યુડિશિયલ ઓફિસર રવિ કુમાર મહેતા અને સચિન મહેતા દ્વારા પડકારવામાં આવ્યું છે. તેમની અરજીમાં તેમણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 માર્ચે બહાર પાડવામાં આવેલી બઢતીની યાદીને રદ કરવા અને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નિમણૂકની સૂચનાને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે ગુજરાત હાઈકોર્ટ મેરિટ અને સિનિયોરિટીના આધારે ન્યાયિક અધિકારીઓની નવી યાદી તૈયાર કરે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.