ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ, તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે


  • Published By :
  • Published Date : 2023-01-25 11:32:51

સમગ્ર ગુજરાતમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ કડકડતી ઠંડી યથાવત જોવા મળશે. નલિયમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થોડા દિવસો બાદ ઠંડીથી આંશિક રાહતનો અનુભવ થઈ શકે છે. 


હિમવર્ષાને કારણે ગુજરાતમાં જોવા મળી અસર 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છએ. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.  સુસવાટા પવન વહેવાની આગાહી પણ કરવામાં આવી છે.  

ગુજરાતમાં ઠંડી ઘટીઃ સુરતનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું, દક્ષિણ  ગુજરાતમાં માવઠાની શક્યતા - Rakhewal Daily

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગગડી શકે છે પારો 

અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.ગાંધીનગરમાં પણ 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જ્યારે બનાસકાંઠામાં 9 ડિગ્રી, રાજકોટમાં પણ 10 ડિગ્રી, અમરેલીમાં 9.6, પોરબંદરમાં 10.8 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આગામી દિવસોમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.