ગુજરાત અનાજ, ખાંડ અને તેલથી વંચિત રહે તેવી સંભાવના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 12:54:27

ગુજરાતમાં ચૂંટણી અગાઉ અનેક લોકોએ પોતાની માગણીઓનો વરસાદ કર્યો હોય તેવામાં વધુ એક સંગઠન પણ પોતાની માગણી સાથે સરકાર સામે પડ્યું છે. 17 હજાર જેટલા સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.


સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ 

ગત ઘણા દિવસોથી સસ્તા અનાજના દુકાનદારો મુખ્યમંત્રીને પોતાની માગણીઓ સંતોષવા પત્ર લખી રહ્યા છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ ન આવતા દુકાનદારોએ આંદોલન કર્યું છે. પોતાની જૂની માગો સાથે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. થોડા દિવસો અગાઉ ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન અને કેરોસીન હોલ્ડર શૉપ એસોસિયેશને મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની જૂની માગણીઓ સંતોષવા મામલે જાણ કરી હતી


શું દિવાળી પર રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે?

ગુજરાતના 17 હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે તો દિવાળીના તહેવારોમાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં કરે. 


થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળે નિર્ણય લઈ જાહેરાત કરી હતી કે સસ્તા અનાજનું અનાજ વિતરણ વધુ ત્રણ મહિના માટે 80 કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતથી સમાચાર મળી રહ્યા છે કે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પાંચ મંત્રીઓની સમિતિ બનાવી અસંતોષ લોકોની લાગણીઓ અને માગણીઓને પોતાની રીતે થાય એટલી વાચા આપી રહી છે ત્યારે હવે સરકાર જો આ દુકાનદારોનું નહીં સાંભળે તો ગુજરાતીઓને દિવાળીમાં રાશન નહીં મળે તેવી દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી છે.





૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .