ગુજરાત અનાજ, ખાંડ અને તેલથી વંચિત રહે તેવી સંભાવના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 12:54:27

ગુજરાતમાં ચૂંટણી અગાઉ અનેક લોકોએ પોતાની માગણીઓનો વરસાદ કર્યો હોય તેવામાં વધુ એક સંગઠન પણ પોતાની માગણી સાથે સરકાર સામે પડ્યું છે. 17 હજાર જેટલા સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.


સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ 

ગત ઘણા દિવસોથી સસ્તા અનાજના દુકાનદારો મુખ્યમંત્રીને પોતાની માગણીઓ સંતોષવા પત્ર લખી રહ્યા છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ ન આવતા દુકાનદારોએ આંદોલન કર્યું છે. પોતાની જૂની માગો સાથે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. થોડા દિવસો અગાઉ ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન અને કેરોસીન હોલ્ડર શૉપ એસોસિયેશને મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની જૂની માગણીઓ સંતોષવા મામલે જાણ કરી હતી


શું દિવાળી પર રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે?

ગુજરાતના 17 હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે તો દિવાળીના તહેવારોમાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં કરે. 


થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળે નિર્ણય લઈ જાહેરાત કરી હતી કે સસ્તા અનાજનું અનાજ વિતરણ વધુ ત્રણ મહિના માટે 80 કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતથી સમાચાર મળી રહ્યા છે કે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પાંચ મંત્રીઓની સમિતિ બનાવી અસંતોષ લોકોની લાગણીઓ અને માગણીઓને પોતાની રીતે થાય એટલી વાચા આપી રહી છે ત્યારે હવે સરકાર જો આ દુકાનદારોનું નહીં સાંભળે તો ગુજરાતીઓને દિવાળીમાં રાશન નહીં મળે તેવી દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી છે.





અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.