તિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટની ફટકાર "કોઈ પણ પ્રકારની રાહતને લાયક નથી"


  • Published By :
  • Published Date : 2024-01-02 15:29:33

સામાજીક કાર્યકર અને ગુજરાત રમખાણોમાં પીએમ નરેન્દ્ર મોદીને ફસાવવાના આરોપનો સામનો કરી રહેલી તિસ્તા સેતલવાડને લઈ ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. ગુજરાત હાઈકોર્ટ કહ્યું છે કે તિસ્તા સેતલવાડને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. વર્ષ 2005માં ગોધરા હિંસા બાદ મહીસાગર જિલ્લાના પાંડરવાડા  નજીક ક્બ્રસ્તાનમાં કબરો ખોદીને 28 શબો બહાર કાઢવાના કેસમાં તિસ્તા સેતલવાડનું નામ આવ્યું છે. કોર્ટે આ અંગે રાજનૈતિક ઉત્પિડનની દલીલને ફગાવી દીધી અને આવું તો આજકાલ બધા જ બોલે છે. આ કેસની સુનાવણી 9 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.


શું છે સમગ્ર મામલો?


ડિસેમ્બર 2005માં ગોધરા હિંસા પછી મહીસાગર જિલ્લાના પાંડરવાડા નજીક પાંડરવાડા  નજીક ક્બ્રસ્તાનમાંથી કબરો ખોદવા અને 28 મૃતદેહો કાઢવાના કેસમાં સેતલવાડનું નામ સામે આવ્યું છે. 2011માં નોંધાયેલી FIRમાં તેમનું નામ સામેલ થયા બાદ સેતલવાડે 2017માં કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2006માં ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ખોટા પુરાવાઓ બનાવવા, પુરાવાનો નાશ કરવા, કબ્રસ્તાનમાં અતિક્રમણ કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર FIR દાખલ કરી હતી. સોમવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે જસ્ટિસ સંદીપ ભટ્ટે સેતલવાડના વકીલ યોગેશ રાવણીને કહ્યું કે રેકોર્ડ જોયા પછી હું રાહત આપવાના મૂડમાં નથી. તમારે તમારા જવાબથી (કોર્ટને) સંતુષ્ટ કરવી પડશે.


રમખાણ પીડિતોના આક્ષેપો બાદ કાર્યવાહી


ગુજરાત સરકારે દાવો કર્યો હતો કે સ્થળને કબ્રસ્તાન તરીકે યોગ્ય રીતે સૂચિત કર્યા પછી જ દફનવિધિ કરવામાં આવી હતી. રઈસ ખાન અને સેતલવાડ અલગ થયા બાદ ખાનના નિવેદનના આધારે સેતલવાડનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. ખાને જણાવ્યું હતું કે મૃતદેહોને કાઢવાનું કામ તેમના આદેશ પર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે લુણાવાડા નગરપાલિકાએ સેતલવાડ સ્થિત NGO સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના પૂર્વ સંયોજક રઈસ ખાન સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. રમખાણ પીડિતોના આક્ષેપો બાદ એમના સંબંધીઓએ શબપરીક્ષણ માટેની પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસર્યા વિના દફનાવવામાં આવ્યા હોવાના આરોપો મૂક્યા હતા. જે અંતર્ગત હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!