ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ સુનાવણીએ દંપતિ સહિત 4 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ, ચારેય લોકોને સારવાર માટે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-06-15 15:23:33

ગુજરાત હાઇકોર્ટમાં એક દંપતી સહિત 4 લોકોએ ચાલુ હિયરિંગ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાઇકોર્ટમાં આ લોકોએ ફિનાઈલ પી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનારા આ 4 લોકોને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા છે. હાલ પોલીસ પંચનામા સહિતની કામગીરી કરી રહી છે. જો કે પોલીસે આ લોકોને ફિનાઈલ પીતા અટકાવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઇ જવાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઇકોર્ટમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બની ત્યાર બાદ જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતા રહેતા હિયરિંગ અટક્યું હતું.


આ લોકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


હાઇકોર્ટમાં ફિનાઈલ પીનાર ચાર લોકોમાં 1. શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ, 2. જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ, 3. હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ, 4. મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવનો સમાવેશ થાય છે. શૈલેષભાઈ અને તેમના પત્ની જયશ્રીબેન અમદાવાદના નિકોલના કેશવ પ્રિય હોમ્સમાં રહે છે. 


શા માટે આ અંતિમ પગલું ભર્યું?  


હાઈકોર્ટમાં 4 લોકોના આત્મહત્યાના પ્રયાસ અંગે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકો અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને લાગી આવ્યું હતું અને ત્યાં જ દવા પીને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હવે આ દંપતી સહિત ચારેય લોકો ફિનાઇલ લઈને કોર્ટ રૂમમાં કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.