ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને મોટી રાહત, હાઇકોર્ટે હંગામી જામીનનો કર્યો આદેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:57:42

ગુજરાત રમખાણો કેસમાં ધરપકડ કરાયેલ તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથધરી હતી. આજે ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. તીસ્તા બાદ હવે આર.બી. શ્રીકુમારને હાઈકોર્ટે હંગામી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે, આર.બી. શ્રીકુમારને આ જામીન કાયમી નહીં પણ હંગામી જામીન છે. પોતાની પર ખોટો કેસ થયો હોવાની આર બી શ્રીકુમારે રજૂઆત કરી અને આ તબક્કે જામીન મંજૂર કરવા જોઈએ તેવી હાઈકોર્ટમાં અરજી કરી હતી. 


ગુજરાતને બદનામ કરવાનો આરોપ


આજે ગુજરાત હાઇકોર્ટમાં 2002 રમખાણોના કેસમાં ગુજરાતને બદનામ કરવાના કેસમાં તીસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારની જામીન અરજી પર સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન તીસ્તાએ રજૂઆત કરી હતી કે તેના વિરુદ્ધ SITએ દાખલ કરેલી ચાર્જશીટની નકલ મળી નથી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો છે કે આરોપીને ચાર્જશીટની નકલ આપવામાં આવે. 


વય અને નાદુરસ્ત તબિયતનો હવાલો આપી જામીનની માંગ


બીજી બાજુ આ કેસમાં SIT દ્વારા ચાર્જશીટ ફાઈલ થઇ ગઈ હોવાથી આર.બી.શ્રીકુમારે જામીન અરજી પરત ખેંચી હતી અને ઉંમર અને નાદુરસ્ત તબિયતના  કારણ પર હંગામી જામીનની માંગ કરી હતી. આથી હાઈકોર્ટે આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ સાથે હાઇકોર્ટે ચાર્જશીટ બાદ નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.