ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને મોટી રાહત, હાઇકોર્ટે હંગામી જામીનનો કર્યો આદેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:57:42

ગુજરાત રમખાણો કેસમાં ધરપકડ કરાયેલ તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથધરી હતી. આજે ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. તીસ્તા બાદ હવે આર.બી. શ્રીકુમારને હાઈકોર્ટે હંગામી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે, આર.બી. શ્રીકુમારને આ જામીન કાયમી નહીં પણ હંગામી જામીન છે. પોતાની પર ખોટો કેસ થયો હોવાની આર બી શ્રીકુમારે રજૂઆત કરી અને આ તબક્કે જામીન મંજૂર કરવા જોઈએ તેવી હાઈકોર્ટમાં અરજી કરી હતી. 


ગુજરાતને બદનામ કરવાનો આરોપ


આજે ગુજરાત હાઇકોર્ટમાં 2002 રમખાણોના કેસમાં ગુજરાતને બદનામ કરવાના કેસમાં તીસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારની જામીન અરજી પર સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન તીસ્તાએ રજૂઆત કરી હતી કે તેના વિરુદ્ધ SITએ દાખલ કરેલી ચાર્જશીટની નકલ મળી નથી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો છે કે આરોપીને ચાર્જશીટની નકલ આપવામાં આવે. 


વય અને નાદુરસ્ત તબિયતનો હવાલો આપી જામીનની માંગ


બીજી બાજુ આ કેસમાં SIT દ્વારા ચાર્જશીટ ફાઈલ થઇ ગઈ હોવાથી આર.બી.શ્રીકુમારે જામીન અરજી પરત ખેંચી હતી અને ઉંમર અને નાદુરસ્ત તબિયતના  કારણ પર હંગામી જામીનની માંગ કરી હતી. આથી હાઈકોર્ટે આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ સાથે હાઇકોર્ટે ચાર્જશીટ બાદ નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી છે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.