ગુજરાત હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી, કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-07 14:17:47

મોદી સરનેમને લઈ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી હતી. સુરત કોર્ટે તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. ત્યારે તે સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને સજામાંથી રાહત મળી શકે છે તેવી આશા કોંગ્રેસના કાર્યકર્તાઓને હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જેને લઈ તેમની સજા યથાવત રહેશે. રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. જજ હેમંત પ્રચ્છકે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. 

હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી 

કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોની સરનેમ'મોદી' કેમ હોય છે ?' તે બાદ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. થોડા સમય પહેલા સુરતની નીચલી કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. સજાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ થઈ ગઈ હતી. ત્યારે સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. જેને લઈ રાહુલ ગાંધીને મળેલી સજા યથાવત રહેશે.

બેનરો સાથે કોંગ્રેસના નેતાઓએ કર્યો વિરોધ 

ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત હતા. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવા કે પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિતના નેતાઓએ ટ્વિટર પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત સ્થાનિક કોંગ્રેસના નેતાઓ દ્વારા હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો. બેનેરોમાં લખેલું હતું લોકશાહી બચાવો, સંવિધાન બચાવો, રાહુલ ગાંધીનો સાથ નહીં છોડે ગુજરાત, રાહુલજીની એક જ વાત ડરો મત. મહત્વનું છે કે ચૂકાદો આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.