હાઈકોર્ટે અમદાવાદના નિકોલની સગર્ભાને ગર્ભપાત માટે આપી મંજૂરી, 27 સપ્તાહની સગર્ભાનો અસારવા સિવિલ હોસ્પિટલમાં કરાશે ગર્ભપાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-22 17:46:29

ગુજરાત હાઈકોર્ટે વધુ એક સગીરાને ગર્ભપાતની મંજુરી આપી છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સમીર દવેની કોર્ટમાં 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી અંગે સુનાવણી થઈ હતી. યુવતીના પરિવારજનોએ  27 સપ્તાહની સગર્ભાના ગર્ભપાતના માટે એડવોકેટ નિસર્ગ શાહ મારફતે અરજી કરી હતી. સગીરા અમદાવાદના નિકોલ વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બની હતી. આ મામલે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટશેનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. જજ સમીર દવેએ ગર્ભપપાતની સમગ્ર પ્રક્રિયા સરળતાથી પુરી કરવા માટે સગીરાને હોસ્પિટલ લઈ જવા નિકોલના પોલીસ-ઇન્સ્પેક્ટરને પણ આદેશ કર્યો હતો.


હાઈકોર્ટે કર્યો હતો આદેશ


આજે સગીરાની મેડિકલ તપાસ બાદ તેનો મેડિકલ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાયો હતો. જેનો અભ્યાસ કરીને જજ સમીર દવેએ સગીરાના ગર્ભપાત માટે આજે સિવિલ હોસ્પિટલ, અસારવા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને નિર્દેશ આપ્યા હતા. આ અંગેનો ઓર્ડર વકીલને બપોરે 1 વાગ્યે મળી જશે. ત્યારબાદ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સગીરાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે હાઈકોર્ટના જજ સમીર દવેએ ગર્ભપાતના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટરોની એક્સપર્ટ પેનલ દ્વારા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ મુજબ શારીરિક તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો.  




પહેલા ધોરણમાં ભણતુ બાળક હસતુ રમતુ સ્કૂલે જાય અને સાંજે ઘરે પાછુ જ ન આવે તો....રાત્રે ઘરે પહોંચે મૃતદેહ.... તો મા-બાપ પર શું વિતતુ હશે...છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં એટલી બધી ઘટનાઓ બની છે કે મહિલા અને બાળકીઓના શોષણ અને હત્યાની કે એક નિઃસાસો છુટી જાય કે ગમે તેટલો વિકાસ કરો

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી

ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.. NZBCCIના ચેરમેન તરીકે GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..

શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે..