હાઈકોર્ટે અમદાવાદના નિકોલની સગર્ભાને ગર્ભપાત માટે આપી મંજૂરી, 27 સપ્તાહની સગર્ભાનો અસારવા સિવિલ હોસ્પિટલમાં કરાશે ગર્ભપાત


  • Published By :
  • Published Date : 2023-09-22 17:46:29

ગુજરાત હાઈકોર્ટે વધુ એક સગીરાને ગર્ભપાતની મંજુરી આપી છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સમીર દવેની કોર્ટમાં 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી અંગે સુનાવણી થઈ હતી. યુવતીના પરિવારજનોએ  27 સપ્તાહની સગર્ભાના ગર્ભપાતના માટે એડવોકેટ નિસર્ગ શાહ મારફતે અરજી કરી હતી. સગીરા અમદાવાદના નિકોલ વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બની હતી. આ મામલે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટશેનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. જજ સમીર દવેએ ગર્ભપપાતની સમગ્ર પ્રક્રિયા સરળતાથી પુરી કરવા માટે સગીરાને હોસ્પિટલ લઈ જવા નિકોલના પોલીસ-ઇન્સ્પેક્ટરને પણ આદેશ કર્યો હતો.


હાઈકોર્ટે કર્યો હતો આદેશ


આજે સગીરાની મેડિકલ તપાસ બાદ તેનો મેડિકલ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાયો હતો. જેનો અભ્યાસ કરીને જજ સમીર દવેએ સગીરાના ગર્ભપાત માટે આજે સિવિલ હોસ્પિટલ, અસારવા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને નિર્દેશ આપ્યા હતા. આ અંગેનો ઓર્ડર વકીલને બપોરે 1 વાગ્યે મળી જશે. ત્યારબાદ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સગીરાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે હાઈકોર્ટના જજ સમીર દવેએ ગર્ભપાતના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટરોની એક્સપર્ટ પેનલ દ્વારા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ મુજબ શારીરિક તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.