ડો. અતુલ ચગ આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસ, 27 માર્ચ સુધીમાં જવાબ આપવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:45:39

ગીર સોમનાથનાં વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ડો. અતુલ ચગના પરિવારજનોએ કરેલી કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યૂ કરી જવાબ માગ્યો છે.


27 માર્ચ સુધીમાં જવાબ આપો


ગુજરાત હાઈકોર્ટે હાઇકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા તથા PI સુનિલ ઈશરાનીને નોટિસ ફટકારી છે. આ પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યું કરી 27 માર્ચ સુધીમાં જવાબ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પોલીસે પાલન ન કર્યાની દલીલ કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 28 માર્ચના રોજ થશે.


ભાજપના MP રાજેશ ચુડાસમાનું નામ ખુલ્યું


ડો. અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ આપઘાત કર્યો હતો, તેમની આત્મહત્યા બાદ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે આત્મહત્યા માટે ભાજપના જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમાને જવાબદાર ઠરાવ્યા હતા. મૃતકના પરિવારજનો આ બંને સામે FIRની માંગ કરી રહ્યા છે. ચગના પરિવારના વકીલ ચિરાગ કક્કડે કહ્યું કે ડો.ચગે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ નામ લખ્યા છે. છતાં પોલીસ સમાજ અને પરિવારને આશ્વાસન આપી રહી છે. પોલીસ ફરજ નિભાવી રહી નથી. સુપ્રીમ કોર્ટના સુચન મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ લેવાની હોય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.