ગીર અભયારણ્યમાં સિંહોની સુરક્ષા મામલે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ, અરજદારે HCમાં કરી આ રજુઆત


  • Published By :
  • Published Date : 2023-07-05 21:43:39

ગુજરાતના ગીર અભ્યારણમાં આવેલા એશિયાટિક સિંહો વિશ્વ વિખ્યાત છે. જો કે હવે આ અભ્યારણ્યમાં વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. ગીર અભ્યારણમાં આવેલા સિંહો સહિતના અન્ય વન્યજીવોના રક્ષણ માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજીમાં વન્યજીવોનું રક્ષણ યોગ્ય રીતે ન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ અરજદારે જંગલ વિસ્તારમાં નિયત કરતા વધારે વોલ્ટની વીજળી ન આપવા અને જંગલ વિસ્તારમાં સિંહની થતી પજવણી રોકવાની પણ માગ કરી છે. 


ગીરના અભ્યારણમાં કોમર્શિયલ બાંધકામને રોકો


ગીરના અભ્યારણના સિંહોએ આપણી ગુજરાતની ઓળખ સમાન છે. જો કે તેમ છતાં પણ વન્યજીવો તેમજ સિંહનું યોગ્ય રીતે રક્ષણ થતું નથી તે બાબતે અમારે દ્વારા હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ખૂબ જ થઈ રહ્યું છે. જેના કારણે સિંહ સહિતના અન્ય જીવો પણ પ્રભાવિત થઈ રહ્યા છે.


વીજ લાઈન વન્યજીવોની સુરક્ષા માટે જોખમી


અરજીકર્તાએ વન્યજીવોની સુરક્ષા માટે જંગલ વિસ્તારમાં નિયત કરતા વધુ પડતી વીજળીના વોલ્ટ આપવામાં ના આવે એવી પણ અમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં જે પણ વીજળી પસાર થઈ રહી છે તેની વીજ લાઈનમાં નિયત કરતાં વધુ વોલ્ટેજ પસાર કરવામાં આવે તો વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચી શકે છે.


વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં ફેરફારની માગ


અરજદાર દ્વારા તેમની અરજીમાં વન્યજીવોના સંરક્ષણ માટે નવા કાયદા બનાવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. વર્ષ 1960 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટના જે નિયમો છે તેને બદલવા જોઈએ તેવી પણ અરજીમાં માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 27 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે નવા સૂચનો થઈ શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.