Gujarat Highcourtએ માન્યું કે રખડતા ઢોર પકડવાની કામગીરી માત્ર પેપર પર જ થાય છે! હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-13 14:20:58

રસ્તા પરથી જ્યારે માણસ પસાર થાય છે ત્યારે અનેક સમસ્યાનો સામનો તેને કરવો પડતો હોય છે. ખરાબ રસ્તાની સમસ્યાથી તો આપણે પરિચિત છીએ. ખરાબ રસ્તા પરથી પસાર થતી વખતે વિકાસશીલ ગુજરાત માટે કહેવાતા અનેક વાક્યો આપણને યાદ આવતા હશે. ખાડા પરથી વાહન જ્યારે પસાર થાય ત્યારે વાહનને તો નુકસાન પહોંચે છે ઉપરાંત વાહનચાલકના શરીરને પણ વધારે તકલીફ પડે છે. આ તો થઈ ખરાબ રસ્તાની વાત પરંતુ રસ્તા પર માત્ર ખાડા જ સમસ્યા નથી રખડતા ઢોર પણ એક સમસ્યા જ છે. 

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

હાઈકોર્ટે ફરી એક વખત રખડતા ઢોર મુદ્દે સરકારની ઝાટકણી કાઢી 

અનેક વખત રાહદારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે રખડતા ઢોર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે પરંતુ તે કાર્યવાહી માત્ર કાગળ પર જ છે તે આપણે જાણીએ છીએ. રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે તેમજ કોર્પોરેશને શું કામગીરી કરી છે તેનો જવાબ માગ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ સરકાર તેમજ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી નીતિની અમલવારી નથી થતી તેને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. જો નીતિની અમલવારી રાજ્યભરમાં ના થઈ શક્તી હોય તો તે માટે જવાબદાર અધિકારીઓ કોણ છે જેથી દંડાત્મક પગલા લઈ શકાય. કોર્પોરેશનની નીતિની અમલવારી કે હાઈકોર્ટના ચુકાદાઓનું પાલન કેમ નથી થઈ રહ્યું તેની પાછળ જવાબદાર અધિકારીઓના નામ આપવા માટે હાઈકોર્ટે જણાવ્યું છે.       

58 lakhs in two years to fill potholes in Bharuch, but the roads are rough  | ભરૂચમાં ખાડા પૂરવા બે વર્ષમાં 58 લાખનો ખર્ચ છતાં રસ્તા ખખડધજ - Divya  Bhaskar

રખડતા ઢોર પર અંકુશ મેળવવા ખાનગી એજન્સીને જવાબદારી સોંપાશે | Gujarati News,  News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay

સુરતના 10,000 રસ્તા પર ખાડા, મહિલાઓની કમર તૂટી રહી છે અને તંત્ર નિદ્રામાં:  પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ – Gujaratmitra Daily Newspaper

તંત્રના વાંકે નિર્દોષ લોકોને ભોગવવાનો આવે છે વારો - હાઈકોર્ટ 

રાજ્યમાં દરરોજ અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા હોય છે. અનેક લોકોના મોત રખડતા ઢોરને કારણે થયા છે અથવા તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે ઉપરાંત ખરાબ રસ્તાની કામગીરી પર તો પ્રશ્ન ઉઠે છે. ખરાબ રસ્તાને કારણે પણ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખતે સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યા છે, સરકારની ઝાટકણી કાઢી છે. રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી થાય તે માટે હાઈકોર્ટે અનેક વખત નિર્દેષ કર્યા છે.   

Produce the officer responsible for stray cattle, Chief Justice bench said,  people cannot go out for morning walk | રખડતા ઢોર માટે જવાબદાર અધિકારીને  હાજર રહેવા હાઇકોર્ટનો આદેશ, ચીફ જસ્ટિસની ...


પોતાની કામગીરીમાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે - ગુજરાત હાઈકોર્ટ  

ખરાબ રસ્તાથી તો લોકોને મુક્તિ નથી મળી પરંતુ રખડતા ઢોરનો સામનો લોકોને કરવો પડે છે. હાઈકોર્ટના જજોએ પણ જણાવ્યું કે તંત્રના વાંકે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. સરકાર તેમજ કોર્પોરેશન પોતાની કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા છે. તંત્ર દ્વારા કામગીરી થઈ હોય તેવા દાવા કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે સમાચારો જોઈએ છીએ ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે. જે કામગીરી તંત્ર તેમજ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે તે માત્ર કાગળ પર જ છે તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે.  

રાજ્ય સરકાર રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણ માટે નીતિ ઘડેઃ ગુજરાત હાઈકોર્ટ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

માલધારીઓ તેમજ એએમસીની ટીમ વચ્ચે થાય છે ઘર્ષણ

મહત્વનું છે કે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે રખડતા ઢોર મામલે અનેક વખત સરકારની તેમજ તંત્રની ઝાટકણી કાઢી છે. રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કરવામાં આવે છે પરંતુ તે માત્ર દેખાડવા પૂરતું જ હોય તેવું લાગે છે. નીતિનો અમલ માત્ર કાગળ પર જ થાય છે તે હવે કોર્ટે પણ સ્વીકારી લીધું! ખરાબ રોડ રસ્તાથી વાહનચાલકોને મુક્તિ ક્યારે મળશે, રખડતા ઢોરના ત્રાસથી, તેમના દ્વારા કરવામાં આવતા હુમલાથી લોકોને ક્યારે રાહત મળશે તે એક પ્રશ્ન છે... અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રખડતા ઢોરને કારણે લોકોના મોત થયા છે. જ્યારે એએમસીની ટીમ ઢોરને પકડવા જાય છે ત્યારે માલધારીઓ અને ટીમ વચ્ચે ઘર્ષણ થતાં હોય છે.   



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.