શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શિક્ષણનો વિરોધ કરનારી PIL અંગે હાઈકોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્ર પાસે માંગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:15:37

ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકાર અને કેન્દ્રને પાઠ્યક્રમનો ભાગ બનાવવા ઉપરાંત શાળાઓમાં શ્રીમદ ભગવદ ગીતાને તેમના પ્રાર્થના કાર્યક્રમોમાં અને શ્લોક પઠન દ્વારા રજૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી PILનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ્ જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે ગુરુવારે સરકાર પાસેથી 3 જુલાઈ સુધીમાં જવાબ  રજુ કરવાનો આદેશ કર્યો હતો, આ મામલે વધુ સુનાવણી 3 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.


જમિયત ઉલમા-એ-હિંદે કરી PIL


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલા નિર્ણયને જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા આ મામલે  PIL દાખલ કરવામાં આવી હતી.  PILમાં શાળાના બાળકો માટે હિંદુઓનું ધાર્મિક પુસ્તક નર્ધારીત કરવાને લઈ વાંધો ઉઠ્યો છે. આ રીતે બંધારણના સમાનતા, બંધુત્વ અને બિનસાંપ્રદાયિકતાના સિધ્ધાતોનું હનન થઈ રહ્યું છે, અને તેને ખતમ કરના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


શિક્ષણ સંસ્થાઓમાં ગીતા પાઠનો વિરોધ


જમિયતે શિક્ષણ સંસ્થાઓમાં ગીતાના મૂલ્યો/સિદ્ધાંતો શીખવવાના પ્રસ્તાવને રદ કરવાની અને વર્તમાન શૈક્ષણિક વર્ષથી 6 થી 12 ના વર્ગો માટે વાર્તાઓ, શ્લોક પઠન અને પ્રાર્થના દ્વારા તેને ફરજિયાત રીતે ભણાવવાના પ્રસ્તાવને રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી.


બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન


અરજીકર્તા સંગઠને સરકારના આ નિર્ણયને " સત્તાનો એક રંગીન કવાયત" અને બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે આ ધર્મ નિર્પેક્ષતાના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે, જે બંધારણનો મૂળ વિશેષતા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે એક ધાર્મિક પાઠની શરૂઆત રાષ્ટ્રિય શિક્ષણ નિતીથી વિપરીત છે. જે હંમેશા ધર્મનિર્પેક્ષ રહી છે, અને શાળાઓમાં ધાર્મિક શિક્ષણના નિષેધનું પાલન કરે છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.