ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં, સજા પર સ્ટે માંગતી અરજી પર ચુકાદો અનામત


  • Published By :
  • Published Date : 2023-05-02 18:02:48

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાહુલને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. સુરત જિલ્લાની એક કોર્ટે મોદી સરનેમ કેસમાં દાખલ કરાયેલ ફોજદારી માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે રાહુલ ગાંધીએ આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને બે વર્ષની સજા પર સ્ટેની માગ કરતી અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે આ કેસ અંગે ખુબ જ મહત્વની સુનાવણી થઈ હતી. 


ચુકાદો ઉનાળું વેકેશન પછી આવી શકે


ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ અને પૂર્ણેશ મોદીના વકીલે સામ સામે દલીલો કરી હતી. કોર્ટે બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટમાં આવતી કાલથી ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. વેકેશન દરમિયાન કોર્ટ ચૂકાદો  લખાવશે, વેકેશન બાદ જ કોર્ટ ચૂકાદો જાહેર કરી શકે છે. આગામી એક મહિના સુધી સજા મોકૂફી મુદ્દે નિર્ણય અનામત રહી શકે છે. જેથી એક રીતે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સંઘવીએ જુદા જુદા કેસમાં આવેલા ચુકાદાઓને ટાંકીને ધારદાર દલીલો કરી હતી.


બંને પક્ષોના વકીલો કોર્ટમાં હાજર


ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ હેમંત એમ. પ્રચ્છકે  રાહુલ ગાંધીની અપીલ પર દલીલો સાંભળી હતી. કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી હાઈકોર્ટના વકીલ પંકજ ચાંપાનેરી પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તે જ પ્રકારે પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તૌલિયા, નિરૂપમ નાણાવટી, અને ગુજરાત સરકાર તરફથી સરકારી વકીલ મિતેષ અમીન પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.  


હાઈકોર્ટનો ચુકાદો કેટલો મહત્વનો?


ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રાહુલ ગાંધી માટે ખુબ જ મહત્વનો છે. જો તેમની સજા પર સ્ટેની માગ કોર્ટ ફગાવી દે છે તો તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. જ્યારે વાયનાડમાં ફરીથી વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતીમાં તેમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. હાઈકોર્ટ રાહુલ ગાધીની સજા પર સ્ટે નથી આપતી તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.