ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 'સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં'


  • Published By :
  • Published Date : 2023-07-13 22:03:39

ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે યુવક અને યુવતી વચ્ચે પરસ્પર સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહીં. રાજ્યમાં લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો વધી રહી છે ત્યારે આજે આવેલો ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો મહત્વનો ગણાય છે. લગ્નનું વચન આપ્યા બાદ લગ્ન ન થાય તો યુવક સામે દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય તેવું હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું છે. યુવક અને યુવતી પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવું પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે. કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયના હોય છે ત્યારે લગ્નની લાલચે સરેન્ડર કરી શકો નહીં એવું પણ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું.


સમગ્ર મામલો શું છે?


અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં રહેતા અલગ અલગ રાજ્યના મહિલા અને પુરુષ વચ્ચે ઓળખાણ થતાં તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્ક બાદ તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જોકે યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને આ સંબંધો બાંધ્યા હતા એવો યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. લગ્નની વાત નીકળતા યુવકે ઇનકાર કરી દેતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રથમ વખત ફરિયાદ બાદ સમાધાન થતા મહિલાએ ફરિયાદ પરત લીધી હતી. બીજી વખત પ્રેમ સંબંધ બાદ ફરી લગ્નની લાલચે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે પુરુષે તેની સાથે લગ્ન સહિતની અન્ય લોભામણી લાલચો આપી હતી અને તેનું અનેક વાર શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.