દિલ્હી CM કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી, PM મોદીની ડિગ્રી મામલે રાહત આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-08-11 15:42:24

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આપના જ રાજ્ય સભાના સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં હાઈકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા AAPના સાંસદ સંજય સિંહ વિરુદ્ધ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ જારી કર્યું હતું. આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે પણ બંને નેતાઓને વચગાળાની કોઈ રાહત આપવાથી ઈનકાર કરી દીધો છે અને અરજી ફગાવી દીધી છે.


હાઈકોર્ટનો રાહત આપવાનો ઈન્કાર


ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેની કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી દરમિયાન બંને નેતાઓને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરતા કથિત રીતે બદનક્ષીભર્યા નિવેદનો કરવા બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી બદનક્ષીની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?


ગુજરાત હાઈકોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, તમને કોર્ટમાં બોલાવ્યા ત્યારે હાજર રહેવું જોઈતું હતું, તમે કોર્ટને આશ્વાસન આપ્યું હતું. હવે તો દિલ્હીમાં પૂરની સ્થિતિ પણ નથી, તમે કોર્ટને ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છો. કેજરીવાલના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે લોકલ કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સ્ટે આપવામાં આવે. જોકે હાઈકોર્ટે આમ કરવાથી ઈનકાર કરી દીધો હતો. હવે સૌ કોઈની નજર નીચલી અદાલતના ચુકાદા પર છે.


યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ કરી હતી અરજી


PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!