Gujarat : સ્માર્ટ મીટરના વધતા વિવાદ વચ્ચે ગુજરાત સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, સ્માર્ટ મીટરની સાથે સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે...


  • Published By :
  • Published Date : 2024-05-21 18:19:10

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સ્માર્ટ મીટર અંગેના સમાચારો સાંભળ્યા હશે.. અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ પણ થયો.. અનેક વીડિયો આવા વિરોધના તમે જોયા હશે.. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં કરવામાં આવેલું રિચાર્જ થોડા સમયની અંદર પૂર્ણ થઈ જાય છે.. લાઈટ બિલ વધારે આવે છે તેવી વાતો લોકોના મુખેથી સાંભળી હશે.. વિરોધ શાંત થવાની બદલીમાં દિવસેને દિવસે વધી રહ્યો હતો. જે બાદ સ્માર્ટ મીટરને લઈ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લગાવવામાં આવશે જેથી કરીને લોકોને ભરોસો આવે...


રાજ્યના અનેક શહેરોમાં લાગ્યા છે સ્માર્ટ મીટર 

દેશના અનેક રાજ્યોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે.. અનેક જગ્યાઓથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. જેમ ફોનમાં પહેલા રિચાર્જ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ થાય છે તેવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ પહેલા રિચાર્જ કરાવાનું રહેશે. જેવું મીટર હમણાં છે તેવી જ રીતે આ સ્માર્ટ મીટર પણ કામ કરશે. લોકોને જાણકારી મેળવવામાં સરળતા મળે તે માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે તેવી માહિતી થોડા દિવસ પહેલા સામે આવી હતી.


લોકોની ગેરસમજ દૂર કરવા માટે સરકારે લીધો આ નિર્ણય

જેમના ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેમનું લાઈટ બિલ વધારે આવવા લાગ્યું.. રિચાર્જ જલ્દી પૂર્ણ થઈ જાય છે તેવી વાતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરને લઈ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.. વિરોધ પણ કરવામાં આવ્યો છે.. સ્માર્ટ મીટરને લઈ લોકોની ગેરસમજ દૂર થાય તે માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. ગેરસમજને દૂર કરવા માટે સ્માર્ટ મીટરની સાથે સાથે જૂના મીટરો પણ લગાવવમાં આવશે..   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.