Gujarat Elections 2022: કોંગ્રેસનો દાવો ગુજરાતમાં ભાજપ તો 70 બેઠકમાં સમેટાઇ જશે


  • Published By :
  • Published Date : 2022-10-23 17:56:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષ જીતનો દાવો કરી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, ભારતીય જનતા પાર્ટીના સર્વેમાં 70થી વધારે સીટો આવતી નથી. ભાજપના સર્વેમાં જ સરકાર બનતી નથી. જે કોઈ મેળાવડા કરવાના થાય એ માત્રને માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જ થાય અને ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં પણ જે કાર્યક્રમો થાય છે. તે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે.


દિવાળી બાદ કોંગ્રેસે ઉમેદવારો પહેલી યાદી જાહેર થશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા તાજેતરમાં દિલ્હી ગયા હતા. દિલ્હીમાં રઘુ શર્માએ કેન્દ્રીય નેનૃત્વ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ સ્કિનીંગ કમિટી બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં રઘુ શર્મા સોનિયા ગાંધી અને સંગઠનના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરીને ઉમેદવારોના નામની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અગાઉ ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે નિવેદન આપી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે દિવાળી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.