બદલી કેમ્પની રાહ જઈ રહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય, રાજ્ય સરકારે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-05-18 19:06:35

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે શિક્ષણ વિભાગે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર જાહેરાત કરી છે, 2જી જૂનથી આંતરિક જિલ્લા બદલી માટે અરજી કરવાની શરૂઆત થઈ જશે અને 1લી જુલાઈ સુધી મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપી હતી.


અગાઉ કરેલી અરજીઓ રદ્દ


રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની જાહેરાત પ્રમાણે જિલ્લા બદલી માટે અગાઉ કરેલી અરજી રદ્દ કરવામાં આવી છે. જિલ્લા આંતરિક બદલી કરાવવા ઈચ્છતા શિક્ષકો, વિદ્યાસહાયકોને નવેસરથી અરજી કરવાની રહેશે, શિક્ષકો, વિદ્યાસહાયકોએ આંતરિક જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 2 જૂનથી 7મી જૂન સુધી શિક્ષકો, વિદ્યાસહાયકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, 8 થી11 જૂન અરજી સુધારા, રદ્દ કરવા અને પ્રિન્ટ કાઢવાની કામગીરી થશે. 12થી 15 જૂન તાલુકા કક્ષાએ અરજી માન્ય કે અમાન્ય કરતા કારણ સાથેની યાદી જિલ્લા કક્ષાએ મોકલવાની રહેશે. 16 થી 19 જૂન જિલ્લાકક્ષાએ અરજી મંજૂર કે નામંજૂર કર્યાના કારણ સાથેની અરજી અપલોડ કરવાની કામગીરી 20 થી 26 જૂન અરજી અંગે આધાર પુરાવા સાથે શિક્ષકો, વિદ્યાસહાયકોએ વાંધા અરજી જિલ્લાકક્ષાએ રજૂ કરવાની રહેશે. 27 થી 29 જૂન રાજ્યકક્ષાએ અરજીનું વેરીફીકેશન કરવામાં આવશે. 30 જૂનથી 1લી જુલાઈ મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે.


વિગતોમાં ભૂલ હશે થશે કાર્યવાહી


રાજ્યની શાળાઓમાં 31 મે સુધી નિવૃત્ત થતાં શિક્ષકોની જગ્યાએ પણ બદલી માટે અરજી કરી શકાશે. અરજી કર્યા બાદ સુધારો કરવા માટે પણ શિક્ષકો, વિદ્યાસહાયકોને એક તક આપવામાં આવશે. જિલ્લા વિભાજન કે નિવૃત્ત શિક્ષકની જગ્યામાં ભૂલ હશે તો જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી સામે કાર્યવાહી થશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.