શું તમારે પણ અડધા ખર્ચે ખેતરમાં કાંટાળી વાડ નાખવી છે? ખેડૂતને આર્થિક ફટકાથી બચાવવા સરકારની યોજનામાં ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-09-09 16:11:46

ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીલગાય, રોઝ, જંગલી સૂવર જેવા જનાવરોના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થતું હોય છે આ મામલે ધ્યાન રાખીને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે યોજના બહાર પાડી છે કે હવે નાના ખેડૂતોને પણ ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવી આપવામાં આવશે જેના કારણે જંગલી જનાવર ખેતરમાં ઉભા પાકને નુકસાન નહીં પહોંચાડી શકે. 

2 હેક્ટર સુધીના ખેતરમાં અડધા ખર્ચે લગાવે કાંટાળી વાડ

દેશનો ખેડૂત આમ પર વરસાદ અને પાકની સમસ્યા જેવી અનેક મુશ્કેલીનો સામનો કરતો હોય છે એવામાં અમુકવાર જંગલી ભૂંડ, સુવર, નીલગાય, રોઝ જેવા જનાવરો ખેતરમાં પહોંચી પાકને નુકસાન પહોંચાડીને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ ઉભી કરી દેતા હોય છે. આ મામલે સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 10 હેક્ટરથી વધારે ખેતર હોય તેમને કાંટાળી વાડ કરવા માટે સહાય કરવામાં આવશે. આ યોજનાનો લાભ મોટા ખેડૂતોને તો મળી ગયો પણ નાના ખેડૂતોની સમસ્યા હતી ત્યાંને ત્યાં જ રહી. જેના કારણે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હવેથી નાના ખેડૂતોને પણ ખેતર ફરતે કાંટાળી વાડ લગાવવા માટે સહાય કરશે. ભૂંડ, સુવર, નીલગાય, રોઝ જેવા જનાવરો રાત્રે ખેતરમાં નુકસાન પહોંચાડતા હોય છે માટે સરકારે જાહેરાત કરી છે કે હવેથી 2 હેક્ટરથી વધુ જમીન હોય તેમાં સરકાર કાંટાળી વાડ લગાવવામાં 50 ટકાની સહાય કરશે. પહેલા એવું થતું હતું કે ખેડૂતોને પોતાના ઘરના રૂપિયા ખર્ચીને જનાવરથી પાકને બચાવવા માટે કાંટાળી જાળ ખેતર ફરતે નખાવવી પડતી હતી. આના કારણે ખેડૂતો પર આર્થિક બોજો આવતો હતો આથી રાજ્ય સરકારે જાહેરાત કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. 

તમે પણ સરકારની યોજનાનો લાભ લો અને પાકને જંગલી જનાવરથી બચાવો

ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં જમીનની સીમા ઘટાડવા માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સરકારની આ જાહેરાતના કારણે ગુજરાતમાં લાખો ટન બગડતો પાક બચી શકશે અને ખેડૂતોને એમની મહેનતનું મહેનતાણું મળશે. તો જો તમારે પણ 2 હેક્ટર જેટલું ખેતર હોય અને જંગલી જનાવરો ખેતરમાં તમારા પાકને નુકસાન પહોંચાડે છે તો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લો અને તમારા ખેતરમાં અડધે ખર્ચે કાંટાળી વાડ લગાવી જંગલી જનાવરથી તમારા પાકને બચાવો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!