સરકારના કન્યા કેળવણીના દાવાનો ફિયાસ્કો, બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં 452 સાઈકલો બની ભંગાર


  • Published By :
  • Published Date : 2023-05-31 18:15:08

રાજ્ય સરકાર દ્વારા બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થિનીઓને શાળાએથી ઘરે અપડાઉન કરવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ મફત સાયકલ આપવામાં આવે છે. માધ્યમિક શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવતી બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જો કે ઘણીવાર તંત્રની બેદરકારીના કારણે ગરીબ વિદ્યાર્થિનીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચી જ શકતો નથી. જેમ કે બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં  452 જેટલી સાઈકલો છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. આ સમાચાર સામે આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. 


452 વિદ્યાર્થીનીઓને સાઈકલોનું વિતરણ ન થયું


ગુજરાત સરકારે પ્રવેશોત્સવ-2015 હેઠળ બોરસદ તાલુકામાં અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓને 452 જેટલી સાઈકલો ફાળવી હતી. તંત્ર દ્વારા સાઈકલોનું વિતરણ જ કરવામાં આવ્યું ન હતું, આ જ કારણે બોરસદ બી.આર.સી ભવન ખાતે આવેલ વઘવાલા પ્રાથમિક શાળાના બે રૂમમાં શાળા પ્રવેશોત્સવ 2015 દરમિયાન ફાળવાયેલ 452 થી વધુ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. તંત્રની લાલિયાવાડીના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.


વાલીઓમાં ભારે આક્રોશ


બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના એક રૂમમાં 245 અને ત્રીજા રૂમમાં 207 સાયકલો ધુળ ખાઈ રહી છે. આ બાબતે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીઓના વાલીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ફાળવવામાં આવેલ સાઇકલો ભંગાર બની ગઈ છે, જો તેનું સમસયર આયોજન કરીને વિતરણ કરવામાં આવ્યું હોત તો આજે 452 થી વધુ વિદ્યાર્થીનીઓને લાભ મળ્યો હોત તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે સરકારમાં રિપોર્ટ કરવામાં આવનાર છે અને સરકાર તરફથી જે આદેશ મળશે તે મુજબ સાઇકલો અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારી સહાયની લાખો રૂપિયાની સાયકલો રણીધણી વગર પડી રહી છે. જેમાં મોટાભાગની સાયકલોના રીંગો વળી ગયેલ છે અને ટાયર ટ્યુબ ખલાસ થઈ ગયા છે. સાયકલોના ઢગલામાં કરોળિયાના જાળા બાઝી ગયા છે. આટલી મોટી બેદરકારી માટે ખરેખર કોણ જવાબદાર છે તેવા સવાલો થઈ રહ્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!