સરકારના કન્યા કેળવણીના દાવાનો ફિયાસ્કો, બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં 452 સાઈકલો બની ભંગાર


  • Published By :
  • Published Date : 2023-05-31 18:15:08

રાજ્ય સરકાર દ્વારા બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થિનીઓને શાળાએથી ઘરે અપડાઉન કરવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ મફત સાયકલ આપવામાં આવે છે. માધ્યમિક શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવતી બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જો કે ઘણીવાર તંત્રની બેદરકારીના કારણે ગરીબ વિદ્યાર્થિનીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચી જ શકતો નથી. જેમ કે બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં  452 જેટલી સાઈકલો છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. આ સમાચાર સામે આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. 


452 વિદ્યાર્થીનીઓને સાઈકલોનું વિતરણ ન થયું


ગુજરાત સરકારે પ્રવેશોત્સવ-2015 હેઠળ બોરસદ તાલુકામાં અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓને 452 જેટલી સાઈકલો ફાળવી હતી. તંત્ર દ્વારા સાઈકલોનું વિતરણ જ કરવામાં આવ્યું ન હતું, આ જ કારણે બોરસદ બી.આર.સી ભવન ખાતે આવેલ વઘવાલા પ્રાથમિક શાળાના બે રૂમમાં શાળા પ્રવેશોત્સવ 2015 દરમિયાન ફાળવાયેલ 452 થી વધુ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. તંત્રની લાલિયાવાડીના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.


વાલીઓમાં ભારે આક્રોશ


બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના એક રૂમમાં 245 અને ત્રીજા રૂમમાં 207 સાયકલો ધુળ ખાઈ રહી છે. આ બાબતે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીઓના વાલીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ફાળવવામાં આવેલ સાઇકલો ભંગાર બની ગઈ છે, જો તેનું સમસયર આયોજન કરીને વિતરણ કરવામાં આવ્યું હોત તો આજે 452 થી વધુ વિદ્યાર્થીનીઓને લાભ મળ્યો હોત તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે સરકારમાં રિપોર્ટ કરવામાં આવનાર છે અને સરકાર તરફથી જે આદેશ મળશે તે મુજબ સાઇકલો અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારી સહાયની લાખો રૂપિયાની સાયકલો રણીધણી વગર પડી રહી છે. જેમાં મોટાભાગની સાયકલોના રીંગો વળી ગયેલ છે અને ટાયર ટ્યુબ ખલાસ થઈ ગયા છે. સાયકલોના ઢગલામાં કરોળિયાના જાળા બાઝી ગયા છે. આટલી મોટી બેદરકારી માટે ખરેખર કોણ જવાબદાર છે તેવા સવાલો થઈ રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.