ગુજરાત સરકારે 6 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા


  • Published By :
  • Published Date : 2022-12-30 18:03:11

ગુજરાત કેડરના 6 આઈએએસની બદલીના આદેશ અપાયા છે. સરકાર વહીવટી કારણોસર સમયાંતરે આઈએસની બદલીના આદેશ આપતી હોય છે ત્યારે આજે વધુ છ આઈએએસની બદલીના આદેશ આપ્યા છે. સચિવાલયના 6 આઈએએસ અધિકારીઓને મદદનીશ કલેક્ટર તરીકે ગુજરાતના વિવિધ વિભાગમાં નિયુક્તિ કરાઈ છે. 


IAS મિસ કંચનને વીરમગામના  મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. IAS મિસ કંચન અગાઉ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. 

IAS મિસ નતિશા માથુરની અંકલેશ્વરના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલય ખાતે શહેરી વિકાસ વિભાગમાં અંડર સેક્રેટરી સેવા આપતા હતા. 

IAS યુવરાજ સેદ્ધાર્થની પાલિતાણાના મદદનીશ કલેક્ટj તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં પંચાયત વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 

IAS જયંત કિશોર માનકલેને હિંમતનગરના  મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 

IAS દેવાહુતીની ગોંડલના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. 

IAS યોગેશ શિવકુમાર કપાસેની ડભોઈના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના મહેસૂલ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!