ગુજરાત સરકારે જંત્રીનો દર બમણો કર્યો, સોમવારથી અમલ, ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બનશે


  • Published By :
  • Published Date : 2023-02-05 13:16:36

ગુજરાત સરકારે જંત્રીના દર બમણી કરવાનો ઠરાવ કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્યના  મહેસૂલ વિભાગ દ્વારા 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  મહેસૂલ વિભાગે આ નિર્ણય અંગે જણાવ્યું કે, વર્ષ 2011માં છેલ્લે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા હતા. ત્યારે 5 ટકા જંત્રી લેવામાં આવતી હતી. આમ તો જંત્રીના ભાવમાં દર વર્ષે વધારો થવો જોઈએ, પરંતુ કેટલાક કારણોથી આ ભાવ વધારો અમલી બન્યો નહોતો. જંત્રીના નવા ભાવ આવતીકાલે (સોમવાર)થી અમલી બનશે.  


બમણી જંત્રીથી બિલ્ડર લોબી નારાજ


રાજ્ય સરકારે અચાનક જ જંત્રી બમણી કરવાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર કરતા બિલ્ડરોને ફટકો સહન કરવો પડ્યો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી જંત્રીના નવા દરો લાગુ થશે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બિલ્ડર એસોસિએશનને વાંધા ઉઠાવ્યા છે. એસોસિએશનના કહેવા મુજબ સરકારના એકાએક નિર્ણયને કારણે એન્ડ યુઝર અને ડેવલોપર્સ વચ્ચે મુશ્કેલી ઊભી થશે. ક્રેડાઈ, ગાહેડ, બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણયના અમલીકરણમાં થોડા સમયની છૂટછાટ આપવામાં આવે તેવી સોમવારના રોજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ એસોસિએશન પ્રમુખે જણાવ્યું છે.  જંત્રી બમણી થતાં પ્રોજેક્ટ કોસ્ટ વધી જશે અને ભાવ વધારવા પડશે તેમજ આ બોજ પ્રજાને પડશે. રાજ્યમાં હવેથી ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે. 



જંત્રી શું છે? 


ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.18/04/2011 ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )2011 ના ભાવો અમલમાં મુકવામાં છે. આ ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!