ગુજરાત સરકારે જ્ઞાનસહાયક તેમજ ખેલસહાયકની કરાર આધારીત નિમણૂંક અંગે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-11 11:02:21

અનેક વર્ષો પછી TAT-TETની પરીક્ષા લેવાઈ. પરીક્ષા લેવાઈ એની ઉમેદવારોને ખુશી હતી પરંતુ એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ભાવિ શિક્ષકો પરેશાન થઈ ગયા હતા. પોતાના નિવેદનમાં શિક્ષણ મંત્રીએ કીધું હતું કે 30 હજાર શિક્ષકોની કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ નિવેદનને કારણે ઉમેદાવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ હતી. ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે  મુજબ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. 


જ્ઞાન સહાયક તરીકે આટલા શિક્ષકોની કરાર આધારિત કરાશે ભરતી

રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ખાસ કરીને જે શાળાઓની પસંદગી મિશન સ્કૂલ્સ ઓફ એક્સીલન્સી તરીકે પસંદગી થઈ છે તે શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. આ માટે પ્રાથમિક શાળાઓમાં 15000, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને 21 હજાર તેમજ માધ્યમિક વિભાગના શિક્ષકો માટે 24 હજાર તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો માટે રુપિયા 26 હજાર વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.     



આ ઉમેદવારો કરી શકશે નિમણૂંક માટે અરજી 

જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા માટે જો લાયકાતની વાત કરવામાં આવે તો પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચતર  માધ્યમિક વિભાગ માટે TAT (ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. અરજી કરનાર અરજદારોને સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા શાળઆની યાદી પૈકી તે કઈ શાળામાં અથવા તો શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન કરવાની રહેશે. મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળાવાર જ્ઞાન સહાયકની યાદી તૈયાર કરી સંબંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે. 



ખેલ સહાયક માટે પણ કરવામાં આવશે કરાર આધારિત ભરતી 

ખેલ સહાયક અંગેની વાત કરીએ તો રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી જે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ અભિરૂચિ કસોટીમાં ઉતિર્ણ થયેલા પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજે 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલા ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા શાળાઓની યાદીમાં તેઓ જે શાળામાં અથવા શાળાઓમાં ખેલ સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છતા હોય તેની પસંદગી ઓનલાઈન કરી શકશે.  


11 મહિના માટે કરાશે કરાર  

અનેક વર્ષો સુધી પરીક્ષા લેવાઈ ન હતી જેને લઈ વિદ્યાર્થીના ભણતર પર અસર પડતી હતી. ત્યારે વિદ્યાર્થીના ભવિષ્ય પર અસર ન પડે તે માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ તે યોજનાનું નામ જ્ઞાનસહાયક કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે કરાર આધારિત શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી રહી છે. 11 મહિના માટે કરાર કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ પર નોકરી તો મળી જશે પરંતુ તેમની નોકરી સ્થાયી નથી તેવું ઉમેદવારોનું કહેવું છે. મહત્વનું છે કે જ્ઞાન સહાયકને 19500 પગાર આપવામાં આવે છે જ્યારે કરાર આધારિત લેવાયેલા જ્ઞાનસહાયકને 21 હજાર અને તેનાથી વધુનો પગાર આપવામાં આવશે. ગુજરાત સરકાર અનેક પ્રયોગો કરતી હોય છે તેવો જ આ પ્રયોગ છે. પ્રવાસી શિક્ષકની જગ્યાએ જ્ઞાન સહાયક ભણાવશે આનાથી એક ફાયદો એ થશે તે ઉમેદવારોને હાલ પૂરતી તો રોજગારી મળી જશે પરંતુ કાયમી ધોરણે રોજગારી ક્યારે મળશે? આમાં એક વાત સારી એ છે કે જે બાળકોને શિક્ષણ નોતું મળતું તેમને જે શાળામાં શિક્ષકો ન હતા ત્યાં શિક્ષકો મળી જશે. જોકે જ્ઞાન સહાયક મુદ્દે વિદ્યાર્થીઓએ ગઈ કાલે ગાંધીનગર ખાતે વિરોધ પણ કર્યો હતો. સરકારને આવેદન પત્ર પણ આપવા ગયા હતા ત્યાં આવેલા વિદ્યાર્થીઓની માંગ હતી કે આ યોજના બંધ કરી દેવામાં આવે. સરકાર જો આટલી જગ્યા ખાલી છે તો કાયમી ભરતી  જ બહાર પડે કારણકે જે શિક્ષકનું ભવિષ્ય નક્કી નથી એ કઈ રીતે બાળકોનું ભવિષ્ય બનાવશે? જમાવટ સાથે વાત કરતા ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી હતી. 

 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!