ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ ધારકોના હિતમાં Gujarat સરકારે લીધો મહત્વનો નિર્ણય, સરકારે ટ્રાન્સફર ફી વન ટાઇમ કરી... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-03-01 16:03:36

ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમને લઈ મોટી ઘોષણા કરી છે. સરકારે મકાનધારકોના હિતમાં નિર્ણય કર્યો છે.  લોકોને રાહત મળે તેવો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટ્રાન્સફર ફી વન ટાઈમ ભરવાની રહેશે ઉપરાંત દસ્તાવેજની લેટ ફી પણ વન ટાઈમ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટ અંગે પણ મોટો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી જાહેરાત 

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બેઠકમાં મૂકવામાં આવી હતી. ગુજરાત સહકારી મંડળીઓના સુધારા વિધેયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હાઉસિંગ સોસાયટીમાં પ્રમુખ, સેક્રેટરી કે કમિટી મનમાનીથી ટ્રાન્સફર ફી નિયત કરી શકશે નહીં. હવે 10ની જગ્યાએ આઠ વ્યક્તિની સહીથી હાઉસિંગ સોસાયટીની નોંધણી થઈ શકશે. જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે. એટલે કે, 25 ચોરસ મીટર સુધીના અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.10 હજાર, LIGમાં રૂ. 20 હજાર, MIGમાં રૂ. 30 હજાર અને HIGમાં રૂ. 30 હજાર પ્રમાણે લેવાશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.