રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે આ 5 કંપનીઓને 1.99 લાખ હેક્ટર જમીન ફાળવી


  • Published By :
  • Published Date : 2023-04-28 19:17:30

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતની ભાજપ સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. તેમાં પ્રાઈવેટ સેક્ટરની પાંચ મોટી કંપનીઓ માટે 1.99 લાખ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ કંપનીઓને બીજા ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન 40 વર્ષના ભાડાપટ્ટે  તમામને ફાળવવામાં આવશે. 15 હજાર પ્રતિ હેક્ટરના દરે જમીનની ફાળવણી કરાશે અને ભાડા પેટ જમીન ફાળવણીથી સરકારને રૂપિયા 300 કરોડની આવક થશે.


કઈ કંપનીને કેટલી જમીન ફાળવાઈ?


રાજ્ય સરકાર તરફથી ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ માટે કેટલીક પ્રાઈવેટ કંપનીઓને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. તેમાં રિલાયન્સ ન્યુ એનર્જી લિમિટેડને 74,750 હેક્ટર, અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 84,486 હેક્ટર, ટોરેન્ટ પાવર લિમિટેડને 18,000 હેક્ટર, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને 14,393 હેક્ટર અને વેલસ્પન ગ્રૂપને 8,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે.


સરકાર 5 કંપનીઓ પાસેથી લેશે ડિપોઝિટ 


રાજ્ય સરકાર ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે કાર્યરત આ પાંચ કંપનીઓ પાસેથી 2998 કરોડ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેશે. પ્રસ્તાવિત જમીન પર ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરીને કુલ 99,814 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા છે. જેની સાથે 39.95 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે તેમ સરકારી આંકડા દર્શાવે છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.