રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે આ 5 કંપનીઓને 1.99 લાખ હેક્ટર જમીન ફાળવી


  • Published By :
  • Published Date : 2023-04-28 19:17:30

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતની ભાજપ સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. તેમાં પ્રાઈવેટ સેક્ટરની પાંચ મોટી કંપનીઓ માટે 1.99 લાખ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ કંપનીઓને બીજા ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન 40 વર્ષના ભાડાપટ્ટે  તમામને ફાળવવામાં આવશે. 15 હજાર પ્રતિ હેક્ટરના દરે જમીનની ફાળવણી કરાશે અને ભાડા પેટ જમીન ફાળવણીથી સરકારને રૂપિયા 300 કરોડની આવક થશે.


કઈ કંપનીને કેટલી જમીન ફાળવાઈ?


રાજ્ય સરકાર તરફથી ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ માટે કેટલીક પ્રાઈવેટ કંપનીઓને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. તેમાં રિલાયન્સ ન્યુ એનર્જી લિમિટેડને 74,750 હેક્ટર, અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 84,486 હેક્ટર, ટોરેન્ટ પાવર લિમિટેડને 18,000 હેક્ટર, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને 14,393 હેક્ટર અને વેલસ્પન ગ્રૂપને 8,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે.


સરકાર 5 કંપનીઓ પાસેથી લેશે ડિપોઝિટ 


રાજ્ય સરકાર ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે કાર્યરત આ પાંચ કંપનીઓ પાસેથી 2998 કરોડ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેશે. પ્રસ્તાવિત જમીન પર ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરીને કુલ 99,814 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા છે. જેની સાથે 39.95 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે તેમ સરકારી આંકડા દર્શાવે છે.




ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.