રાજ્ય સરકાર યોજશે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી પરીક્ષા, સપ્ટેમ્બરમાં આવશે ભરતી કેલેન્ડર


  • Published By :
  • Published Date : 2023-06-06 12:57:03

ગુજરાતમાં સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે 10 વર્ષના ભરતી કેલેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારોની નિમણૂક કરી શકાય. સરકાર આગામી 10 વર્ષ એટલે કે 2033 સુધીમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની પરીક્ષા યોજશે. આ મામલે હાલ સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગ વચ્ચે ચર્ચા-વિચારણા ચાલી રહી છે.  


સપ્ટેમ્બર મહિનામાં ભરતી કેલેન્ડર આવશે


રાજ્ય સરકાર સરકારના વિવિઘ વિભાગો માટે સપ્ટેમ્બર મહિનામાં ભરતી કેલેન્ડર બહાર પાડશે. રાજ્ય સરકારે આગામી 10 વર્ષના ભરતી કેલેન્ડરને અગાઉ મંજૂરી આપી છે. સરકારના ઘણાં એવા વિભાગો છે જેમાંથી કર્મચારીઓ નિવૃત્ત તો થાય છે, પણ તેની સામે નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. આ કારણસર આ વિભાગોમાં કામનું ભારણ વધે છે. તાજેતરમાં જ સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે, ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓની ઘટ છે. જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી બે વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગમાં 10 હજાર લોકોની ભરતી કરાશે. રાજ્ય સરકારે પંચાયત વિભાગમાં 15000 કર્મચારીઓની ભરતી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે જે પૈકી બે વર્ષમાં તબક્કાવાર 10 હજારની ભરતી કરવામાં આવશે.


સરકારના આ વિભાગોમાં થશે ભરતી


રાજ્યના વિભાગો જેવાં કે ગૃહ, શિક્ષણ, આરોગ્ય, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, પંચાયત, કાયદો અને ન્યાય, ઉદ્યોગ, સામાજીક ન્યાય, ઊર્જા, નાણાં, વન અને પર્યાવરણ તેમજ માર્ગ-મકાનમાં હજારો જગ્યા ખાલી છે. પ્રતિવર્ષ 13000 થી થી 16000 કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે જેની સામે ભરતીનું પ્રમાણ માત્ર 15 થી 20 ટકા છે, પરિણામે મોટાભાગની જગ્યાઓ ખાલી પડે છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ગાંધીનગરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી નિમણૂક પામેલા હેલ્થ વર્કરને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.