બિપોરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત લોકો માટે કેશડોલની જાહેરાત, નાગરિકોના બેન્ક ખાતામાં સીધી જ જમા થશે રકમ


  • Published By :
  • Published Date : 2023-06-16 22:25:10

વિનાશક ચક્રવાત બિપોરજોય ગુજરાતને ધમરોળીને પસાર થઈ ગયું. જો કે આ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. જે નાગરિકો ભયજનક વિસ્તારમાં હતા તેમને સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવામાં આવતા તેમની રોજી-રોટી પણ બંધ થઈ ગઈ હતી. જો કે હવે આ લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.


8 હજાર લોકોને 5 દિવસ માટે કેશડોલ


ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપોરજોય ભારે પ્રમાણમાં તબાહી મચાવી છે, ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ 8 હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવવાની જાહેરાત કરી છે.  સરકાર આ લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુ મળી રહે માટે કેશડોલની રકમ ચૂકવશે. જેમાં પુખ્ય વયના નાગરિકોને રૂપિયા 100 જ્યારે બાળક દિઠ રૂપિયા 60 પ્રતિદિનનું ચૂકવણું કરવામાં આવશે. આ રકમ પાંચ દિવસ સુધીની જ ચૂકવવાની રહેશે. આ કેશડોલની રકમ નાગરિકોના બેન્ક ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવશે. હાલ વાવાઝોડાથી થયેલા નુકશાનના કારણે મુશ્કેલ હોય તે રકમ રોકડેથી ચૂકવવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.