પોલીસને નહીં આપવી પડે એફિડેવિટ, સરકારે ઠરાવમાં કર્યા ફેરબદલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:18:51

છેલ્લા ઘણા સમયથી પોલીસ પોતાના ગ્રેડ પે મુદ્દાને લઈ સરકાર વિરૂધ આંદોલન કરી રહી હતી.આંદોલન સમેટવા રાજ્ય સરકારે પોલીસની માંગણી સ્વીકારતા એફિડેવિટ કરવાની શરત મુકી હતી. જેને લઈ નારાજ થયેલા પોલીસે સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. આંદોલન ઉગ્ર ન બને તે માટે રાજ્ય સરકારે નિયમોમાં ફેરબદલ કર્યા છે. હવે પગાર વધારા માટે પોલીસ કર્મચારીઓને કોઈ એફિડેવિટ આપવું નહીં પડે.


આંદોલન ઠારવા સરકારનો પ્રયાસ    

પોલીસે એફિડેવિટ આપવાનો ઈન્કાર કર્યો જેને કારણે છેવટે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. એ અંતર્ગત હવે પોલીસ કર્મચારીઓએ કોઈ એફિડેવિટ નહીં આપવું પડે. અગાઉના ઠરાવ પ્રમાણે ફિક્સ રકમ સ્વિકાર્યા બાદ અન્ય કોઈ લાભ તેમણે નહીં મળે. જેનો પોલીસ કર્મચારીઓએ ભારે વિરોધ કર્યો હતો. 

ગૃહવિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર

ચૂંટણી સમયે આ મુદ્દાનો લાભ રાજકીય પાર્ટી ના લઈ જાય તે માટે અંતે ગૃહવિભાગે નવો પરપત્ર બહાર પાડી જૂના ઠરાવમાં ફેરફાર કર્યા છે. સરકાર દ્વારા કરાયેલા ફેર બદલને કારણે પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.    



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.