આજે રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠક, પ્રજાલક્ષી નિર્ણયોની થઈ શકે છે જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 12:36:17

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી ભાજપ સરકાર જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો તથા વર્ષ દરમિયાન 2 ગેસ સિલિન્ડર નિશુલ્ક આપવાની જાહેરાત કરી હતી. આજે રાજ્ય સરકાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત કરી શકે છે. 


આજે રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠક


રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આજે છેલ્લી કેબિનેટ બેઠક મળશે. ગુજરાતમાં દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે મોટા નિર્ણયો લઈ શકાય નહીં, એવામાં આજની કેબિનેટ બેઠકમાં સરકાર કેટલાક મહત્વના પ્રજાલક્ષી નિર્ણયોની જાહેરાત કરી શકે છે. 


રાજ્ય સરકાર કેબિનેટમાં શું નિર્ણયો લેશે?


રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કેબિનેટની છેલ્લી બેઠક યોજાશે. આજની બેઠકમાં અતિવૃષ્ટિથી પાક નુકસાન સામે ખેડૂતોને સહાય પેકેજ સહિત, સરકાર ભરતીથી શરૂ કરીને નાગરિકોને સ્પર્શતા નિર્ણયો જાહેર થાય તેવી શક્યતા છે. સામાન્ય વહીવટી વિભાગ, GEDA, ઈ-સરકાર, આદિજાતી, અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો, વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, તેમજ અલગ અલગ યોજના અંતર્ગત લાભાર્થીઓ અંગે પ્રેજન્ટેશન કરવામાં આવે તેવી સંભાવના છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.