પ્રથમ ગ્રાસે મક્ષિકા, વાંકાનેરમાં ભાજપ અને મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 19:15:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પગલે તમામ પક્ષોએ તેમનું પ્રચાર અભિયાન તેજ બનાવી દીધું છે. ભાજપના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં ગૌરવયાત્રા કાઢવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સહિત આ ગૌરવ યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. જો કે કેટલાક સ્થળોએ જનવિરોધનો પણ સામનો કરવો પડશે.


વાંકાનેરમાં મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા 


કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં આજે આ ગૌરવ યાત્રા મોરબી પહોંચી હતી. જો કે આ યાત્રાનો પ્રથમ ફિયાસ્કો ત્યારે થયો જ્યારે આ યાત્રાનું સ્વાગત કરવા માટે ખુબ જ ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જાહેર સભા હોવા છતા પણ 500થી પણ ઓછા લોકો હાજર હતા. જેના કારણે યાત્રાનો ફિયાસ્કો થયો હતો.


ટોળાનું ઉગ્ર વલણ જોઈને યાત્રાને આગળ ધકેલાઈ


જો કે આટલું ઓછું હોય તેમ યાત્રા આગળ વધી રહી હતી ત્યારે અચાનક મોટી સંખ્યામાં લોકો ઘસી આવ્યા હતા. તેમણે ભાજપ અને સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લગાવ્યા હતા. હજારી ખાતે આ યાત્રાનો ભારે વિરોધ થયો હતો. જેના કારણે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સહિતના ભાજપના આગેવાનો અસહજ સ્થિતિમાં આવી ગયા હતા. તો બીજી તરપ કાર્યકરો અને પદાધિકારીઓ દોડતા થયા હતા. તત્કાલ યાત્રાને ઝડપથી આગળ ધપાવી દેવામાં આવી હતી.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.