Gujarat:બાકી રહેલી Loksabha Seat માટે BJP આમને આપી શકે છે ટિકીટ, જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા, ટિકીટ આપવા પાછળ શું છે BJPનું ગણિત?


  • Published By :
  • Published Date : 2024-03-19 13:04:18

લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન કરવામાં આવી ગયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા ચૂંટણી માટે પણ પેટા ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ગુજરાત માટે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 4 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી. ચાર બેઠકો માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. જે ચાર બેઠક પર ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા તે બેઠક છે મહેસાણા, અમરેલી, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર.એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ ઉપસ્થિત હતા.



ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની કરવામાં આવી છે જાહેરાત 

દર પાંચ વર્ષે આપણે લોકશાહીનો ઉત્સવ ઉજવતા હોઈએ છીએ.પાંચ વર્ષે ઈલેક્શન યોજાય છે અને પછી લોકો દેશના વડાપ્રધાનને નક્કી કરે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે અને ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ તરફથી માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ એક ઉમેદવારે પોતાનું નામ પાછું ખેચી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે અને તેમાં ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ હશે. ચાર બેઠકો પર કોને ઉમેદવાર બનાવવા તે માટે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું અને આજે ઉમેદવારો જાહેર ભાજપ કરી શકે છે. 



કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ? 

જો ઉમેદવારોના નામની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ચારમાંથી બે બેઠકો પરથી ભાજપ મહિલા ઉમેદવારને ઉતારી શકે છે. મળતી માહિતી અનુસાર અમરેલી, મહેસાણા બંન્નેમાંથી એક બેઠક પર મહિલા ઉમેદવારો હશે જ્યારે કડવા પાટીદાર ચહેરાને અમરેલીથી ઉતારવામાં આવશે. તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહેસાણાથી લેઉવા પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે.આ તો માત્ર અનુમાન છે સત્તાવાર જાહેરાત થાય તે બાદ ખબર પડે કે ભાજપે કોને ટિકીટ આપી છે.                



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.