Gujarat : ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધનો ખેડૂતોએ કર્યો વિરોધ, રસ્તા પર ડુંગળી ફેંકી અને રસ્તા કર્યા ચક્કાજામ


  • Published By :
  • Published Date : 2023-12-14 14:31:00

ડુંગળીના નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નિકાસ બંધની સીધી અસર ખેડૂતોની આવક પર પડી છે. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. નિકાસ બંધીના નિર્ણય પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતોએ ડુંગળી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અનેક જગ્યાઓથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગળીનો નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધને લઈ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા આંબલિયાએ કહ્યું કે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ છે. 


Onion Export Ban: Farmers protested by throwing onions on the highway in Gondal for not getting enough price of onions ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ગોંડલમાં ખેડૂતોનો આક્રોશ, હાઇવે પર ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો

સરકારે ડુંગળીના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ       

ગરીબોની કસ્તુરી ડુંગળીને માનવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને અનેક પરિવારો ગુજરાન ચલાવતા હોય છે. નિકાસને ધ્યાનમાં રાખી, સારી કમાણી થઈ શકે તેવી આશા સાથે ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધારે કર્યું છે. એક તરફ ખેડૂતોએ સારી કમાણીની આશા રાખી પરંતુ દર વખતની જેમ ખેડૂતોના પડ્યા પર પાટું પડ્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું. નિકાસ પર પ્રતિબંધ મૂકાવવાને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. એક સાથે મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થવાને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અનેક યાર્ડોમાં હરાજી બંધ કરવામાં આવી છે.




ખેડૂતોએ રસ્તા પર કર્યો ચક્કાજામ

નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટી જાય તે માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતો ઉતરી આવ્યા છે. ખેડૂતોએ અનેક હાઈવે પર ચક્કાજામ કર્યું છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. નિકાસના વિરોધમાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. જૂનાગઢ નેશનલ હાઈવે પર પણ ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જામનગરથી પણ કંઈક આવા જ સમાચાર, આવા જ દ્રશ્યો સામે આવ્યા. નિકાસ પર પ્રતિબંધ લાગવાને કારણે મોટા પ્રમાણમાં ભાવમાં ઘટાડો થયો છે. 


પાલભાઈ આંબલિયાએ નિકાસ બંધી પર આપી પ્રતિક્રિયા

એક તરફ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમના કહેવા અનુસાર  સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી. આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી.


ખેડૂતોની હાલત પ્રતિદિન બની રહી છે કફોડી!

ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો માગ કરી રહ્યા છે. ખેડૂતોને આ નિર્ણયને કારણે રડવાનો વારો આવ્યો છે. નિકાસ પર પ્રતિબંધ લગાવવાને કારણે ડુંગળીના ભાવ સાવ નીચે આવી ગયા છે જેને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. મહત્વનું છે કે વાતાવરણમાં પણ જો કોઈ ફેરફાર આવે છે તો તેની સીધી અસર ખેડૂતોની આવક પર પડતી હોય છે. વરસાદ વધારે થાય તો પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!