સરકાર વિરોધી માહોલથી ચિંતિંત અમિત શાહ આજે કમલમમાં યોજશે હાઈ લેવલની બેઠકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:10:06

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર વિરોધી ધરણા-પ્રદર્શનોએ સરકારની ચિંતા વધારી છે. છેલ્લા 27 વર્ષથી શાસન કરતા ભાજપની નેતૃત્વ વિરૂધ્ધ લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર આ 'એન્ટી ઈન્કમ્બન્સી' ખાળવા માટે તમામ પ્રયાસો કરી રહી છે જો કે હજુ સુધી જોઈએ તેવી સફળતા મળી નથી. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ હવે મેદાનમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બે દિવસના તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી રેલીને સંબોધી હતી.  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાલ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આજે પાર્ટીના સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક કરશે.


અમિત શાહની આજે કોર કમિટીના સભ્યો સાથે બેઠક


અમિત શાહ કોઈ પણ રીતે ભાજપનો ગઢ બચાવવા કૃતસંકલ્પ છે. ગુજરાતમાં ભાાજપનું શાસન ટકી રહે તે માટે આજે અમિત શાહ ચાર બેઠકો કરશે. આ બેઠકોની તૈયારીને લઈ ભાજપ કાર્યાલયમાં ધમધમાટ  જોવા મળા રહ્યો છે. અમિત શાહ પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખ સાથે બેઠક કરશે. વિધાનસભા ચૂંટણીના ઈન્ચાર્જ, ભાજપની કોર કમિટીના સભ્ય સાથે પણ તેમજ  વ્યવસ્થાપક ટીમ સાથે અમિત શાહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.


શા માટે ભાજપ માટે ગુજરાતની ચૂંટણી મહત્વની?


આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થશે. રાજ્યમાં આપને મધ્યમ વર્ગનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. હવે આ જ મધ્યમ વર્ગ ભાજપની પણ કોર વોટ બેંક છે. જો કે અસહ્ય મોંઘવારી, મોંઘુ શિક્ષણ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, તથા રાજ્યમાં વધી રહેલી દારૂ અને ડ્ર્ગ્સના વેચાણથી મધ્યમ વર્ગ ભાજપથી વિમુખ થઈ રહ્યો છે. તો બીજી બાજુ આપના નેતા કેજરીવાલે રાજ્યના લોકો માટે વિવિધ ગેરન્ટી યોજનાઓની જાહેરાત કરી છે. આ કારણે ભાજપના ટોચનું નેતૃત્વ ખુબ જ ચિંતિત છે. જો ભાજપ ગુજરાતમાં ચૂંટણી હારી જાય તો તેની સીધી વિપરીત અસર 2024ની લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. આ કારણે ભાજપ માટે આ વખતની ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતી સર્જાઈ છે. ભાજપની ટોચની નેતાગીરી પણ તમામ દમદાર તૈયારીઓ અને રાજકીય સમીકરણોના સોગઠા સાથે  મેદાનમાં ઉતરશે.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.