મોદીના ગઢ ગુજરાતમાં નિતીશ કુમાર આપશે ભાજપને પડકાર, રાજ્યમાં કરશે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-08 15:38:11

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જો કે જાણીતા આદીવાસી નેતા છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) અને બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની પાર્ટી JDU વચ્ચે ગઠબંધન થયું છે. આ સ્થિતીમાં આદીવાસી મતદારોના વોટ કોને મળે છે તે જોવાનું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિતીશ કુમાર પણ BTP-JDU ગઠબંધન માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.


ભાજપ સામે નિતીશ કુમાર કરશે ચૂંટણી પ્રચાર


જેડીયુના નેતા અને રાષ્ટ્રિય મહાસચિવ અફાક અહેમદ ખાનના જણાવ્યા પ્રમાણે નિતીશ કુમાર મોદીના ગઢ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ખાને વધુમાં જણાવ્યું કે નિતીશ કુમારે ગુજરાતમાં ભાજપ સામે ચૂંટણી પ્રચાર કરવાની ઈચ્છા દર્શાવી છે. નિતીશ કુમાર બિહારની બહાર પણ જેડીયુની સ્થિતી મજબુત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, અને તે માટે તેઓ ચોક્કસપણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.