Gujarat Assembly Election 2022: 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ


  • Published By :
  • Published Date : 2022-11-03 13:42:22

રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થઈ ગઈ છે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12.30 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે  પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. 


બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી


રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કાનું મતદાન યોજાશે.  ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થશે. કોઇ પણ સરકારના સરકારી જાહેરાતો થઇ શકશે નહીં. નેતાઓને મળતી સરકારી ગાડીઓ પરત ખેંચાઇ જશે. સરકારી જાહેરાતોના હોડિંગ પણ ઉતારી લેવામાં આવશે. સરકારી યોજના કે લોકાર્પણ કે ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે નહીં. ચૂંટણી પંચની મંજૂરી વગર કોઇ પણ બદલીઓ થઇ શકશે નહીં.


પ્રથમ અને બીજા તબક્કામાં ક્યા યોજાશે મતદાન?


પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર પહેલી ડિસેમ્બરનાં રોજ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં મતદાન યોજાશે. 


જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં મતદાન યોજાશે.


ક્યારે નોટિફિકેશન જાહેર થશે?


પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 


તે જ પ્રકારે બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.


પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું ચૂંટણી પંચે?


1-ચૂંટણીનું બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે


2-ગુજરાત અને હિમાચલ પ્રદેશની મતગણતરી એક સાથે જ 8 ડિસેમ્બર 2022ના રોજ થશે


3-ગુજરાત વિધાન સભાનો 18 ફેબ્રુઆરી 2023 પૂરો થશે કાર્યકાળ, હજુ 100 દિવસ બાકી છે. કુલ 182 બેઠકોમાંથી  142 જનરલ, 17 એસસી, 23 એસટી બેઠકો અનામત, 51782 કુલ મતદાન મથક, 142 મોડલ મતદાન મથક બનાવવામાં આવશે.


4-રાજ્યમાં 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 27 હજારથી વધુ સર્વિસ મતદાતા, 1274 મતદાન મથકો પર મહિલાઓ તૈનાત રહેશે, દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન મથકો બનાવાશે, 9.87 લાખ મતદાતાઓ 80 વર્ષ ઉપરના  છે.


5-ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા નોંધાયા છે. 3.24 લાખ નવા મતદાતા ઉમેરાયા છે. 59782 કુલ મતદાન મથકો છે.આ સાથે 59782 કુલ મતદાન મથકો રહેશે. રાજ્યમાં 4.6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે


6-ચૂંટણી પંચે જણાવ્યુ કે, 182 મતદાન મથકો માત્ર દિવ્યાંગો કર્મચારીઓ સંચાલિત હશે. 182 મતદાન મથકો માત્ર દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત કરશે. 33 મથકો પર યુવાન કર્મચારીઓ તૈનાત રહેશે.


7- ગીરસોમનાથનાં એક બુથમાં એક જ વ્યક્તિના મતદાન માટે 15 ટીમનો સ્ટાફ જશે.


8-બે કિલોમીટર વધુના અંતરમાં એક પણ પોલીંગ બુથ નહીં 


9- 2017 ની તુલનામાં ટ્રાન્શજેન્ડરની સંખ્યા વધીને બેગણી થઈ


10-સરેરાશ 948 મતદારો દીઠ એક કેન્દ્ર બનશે.


11-અર્બન વિસ્તારમાં 17,506 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 34,276 મતદાન કેન્દ્રો


12-ફોર્મ 12-ડી ભરનારા સિનિયર સિટિઝન્સને ઘેરબેઠા મતદાનની સુવિધા. રાજ્યમાં 8 લાખથી વધુ 80 વર્ષની વય ધરાવતા મતદારો.


13-4.4 લાખ જેટલા દિવ્યાંગ મતદારો, થર્ડ જેન્ડરના મતદારો માટે પણ ખાસ સુવિધા ઉભી કરાશે


14- 2017ની સરખામણીએ થર્ડ જનરેશનના મતદારોમાં 100 ટકાનો વધારો, સંખ્યા વધીને 1417 પર પહોંચી.


15- ઉમેદવારોની એફિડેવિટ, ક્રિમિનલ રેકોર્ડ, પ્રોપર્ટીની વિગતો મતદાતાઓ ઓનલાઈન જોઈ શકશે.


16- ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને તેની વિગતો અખબાર, સોશિયલ મીડિયામાં પબ્લિશ કરવી પડશે. રાજકીય પક્ષોએ પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારની પસંદગી કેમ કરી તેનું પણ કારણ આપવું પડશે.


17- ચૂંટણી દરમિયાન રાજ્યમાં દારુ કે નશીલા પદાર્થો ઘૂસાડવામાં ના આવે તે માટે ખાસ તકેદારી રખાશે.

ફરિયાદ કર્યાની 100 મિનિટની અંદર જ સમાધાન મળશે


18-ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો પોતાની ગુનાની માહિતી જાહેર કરવી પડશે


19-C-vigil એપ્લિકેશન ઉપર ફરિયાદ કરી શકશો


20-ફેક ન્યૂઝ ઉપર ધ્યાન રાખવા માટે સોશિયલ મીડિયા ટીમ બનાવાશે અને ફેક ન્યૂઝ ઉપર કડક પગલાં લેવાશે


21-વાગરામાં એક મતદાન મથક શિપિંગમાં કન્ટેનરમાં બનાવાયું છે


22-ફરિયાદ કર્યાની 100 મિનિટની અંદર જ સમાધાન મળશે


23-ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો પોતાની ગુનાની માહિતી જાહેર કરવી પડશે


24- C-vigil એપ્લિકેશન ઉપર ફરિયાદ કરી શકશો


25-ફેક ન્યૂઝ ઉપર ધ્યાન રાખવા માટે સોશિયલ મીડિયા ટીમ બનાવાશે અને ફેક ન્યૂઝ ઉપર કડક પગલાં લેવાશે


26-મતદાતાઓ KYC એપ્લિકેશન પરથી ઉમેદવારોની માહિતી જાણી શકાશે. જેમાં તેમની મિલકત સાથે તેમને લગતી તમામ માહિતી વાંચી      શકાશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!