ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગેસમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-01 13:35:16

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ એકબીજાના નેતાઓ અને કાર્યકરો માટે રીતસર ભરતી મેળો શરૂ કરી દીધો છે.  ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાતા રાજકરણ ગરમાયું છે.


ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ 


ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ કોંગ્રેસની ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. 


પુત્ર કે પુત્ર વધૂ માટે કોંગ્રેસની ટિકિટ માંગી શકે


પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા ચોક્કસપણે ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટો ફટકો પડ્યો છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ તેમના પુત્ર કે પુત્ર વધૂ માટે ટિકિટ માગશે તેવું મનાય છે. પ્રભાતસિંહના પુત્ર પ્રવીણ સિંહ કે પુત્રવધૂ સુમનબેન ચૌહાણ માટે શહેરા કે ગોધરા વિધાનસભા સીટ માટે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 


(આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.)



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.