Gujarat Election 2022: AAPનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈસુદાન ગઢવી દ્વારકાથી લડી શકે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-04 21:44:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. હવે ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે જોવાનું છે. રાજ્યમાં તેમની વિધાનસભાની સીટને લઈ અટકળો અટકળોનું બજાર ગરમ છે. 


દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડી તેવી સંભાવના


મુખ્યમંત્રીના આપના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામ માટે 73 ટકા લોકોએ પોતાની સંમતી દર્શાવી છે. હવે AAPના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈસુદાન ગઢવી દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવી રાજ્યના સુવિખ્યાત અને પવિત્ર યાત્રા ધામ દ્વારકા ધામથી ચૂંટણી લડશે તેવી સંભાવના વધુ જણાઈ રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.