વિજયી ભવ: AAPના અલ્પેશ કથીરીયાએ BJP ઉમેદવાર કુમાર કાનાણીના લીધા આશીર્વાદ


  • Published By :
  • Published Date : 2022-12-01 13:43:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના મતદારો તેમના મધાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ સામાન્ય મતદારોની સાથે ઉમેદવારો પણ મતદાન કરવા પહોચી રહ્યા છે. મતદાન મથકે હરિફ ઉમેદવારો આમને-સામને આવી ગયા હોય તેવું પણ બની રહ્યું છે. જેમ કે સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આપના અલ્પેશ કથિરીયા અને ભાજપના કુમાર કાનાણી સામ-સામે આવી ગયા ત્યારે અલ્પેશ કથિરીયા તેમના પ્રતિસ્પર્ધીને પગે લાગ્યા હતા.


અલ્પેશ કથીરિયા અને  કુમાર કાનાણીનો ભેટો


સુરતની વરાછા બેઠકના AAPના ઉમેદવાર અલ્પેશ કથીરિયા મત આપવા માટે જતા હતા ત્યારે મતદાન મથક પર જ કુમાર કાનાણી મળી ગયા હતા. ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા કટ્ટર હરીફ એવા કાકા-ભત્રીજાએ આજે ગળે મળ્યા. બાદમાં અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, કુમાર કાકા વડીલ છે એટલે તેમના આશીર્વાદ લેવા એ  મારી ફરજ છે. હું રાજનીતિમાં નવો છું એટલે આશીર્વાદ લેવા જરૂરી બને. વરાછાની જનતા જાગૃત છે સમજીને મતદાન કરશે.


કાકા-ભત્રીજા વચ્ચે જોરદાર ટક્કર


AAPના વરાછાના ઉમેદવાર અલ્પેશ કથિરિયા અને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી વચ્ચે કાટાની ટક્કર છે. સુરતની આ બેઠક જીતશે તેવો આપના ઉમેદવારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે કુમાર કાનાણી પણ રાજકારણના જુના ખેલાડી છે. આ બંને ઉમેદવારોને સૌરાષ્ટ્રના મતદારોનો ટેકો છે પણ હવે સૌથી વધુ મત કોણ મેળવે છે તેના પર મોટો આધાર છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.