ઇલેક્સન ઈફેક્ટ: આદર્શ આચાર સંહિતાનો અમલ થતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 90% રોકડ વ્યવહારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 20:10:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ બે અઠવાડિયા બાકી છે, અને આદર્શ આચાર સંહિતા (MCC) લાગુ થતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લગભગ 90% રોકડ વ્યવહારો પર રોક લાગી ગઈ છે. RERAનો અમલ થયા પછી પારદર્શિતાના અનેક દાવા છતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો થાય છે. રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતો કહે છે કે કડક પોલીસ તપાસ અને અન્ય સરકારી એજન્સીઓની સતર્ક નજર હોવાને કારણે લોકો રોકડ લેવડ-દેવડ ટાળી રહ્યા છે.


ઈન્કવાયરી વધી, સોદા ઘટ્યા


રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોએ જણાવ્યું કે મકાનો, ફ્લેટ, દુકાનો અને ઓફિસ સ્પેશ માટે ઈન્કવાયરી આવે છે પરંતુ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી સોદા, ખાસ કરીને મોટી રોકડ સાથે સંકળાયેલા સોદાને રોકી દેવામાં આવ્યા છે. રિયલ્ટર્સે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કડક ચેકિંગને કારણે ડેવલપર્સ અને ખરીદદારો શહેરની આસપાસ રોકડની ટ્રાન્સફર કરવાનું જોખમ ટાળી રહ્યા છે. અમદાવાદમાં દિવસ-રાત વાહનોની તપાસ માટે 150 જેટલી પોલીસની ટીમો તૈનાત અને ચેકપોઈન્ટ્સ ઉભી કરવામાં આવી છે.


દિવાળી પહેલા સોદા નિપટાવી દેવાયા


એક ડેવલપરે જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર પર પ્રતિબંધ રહેશે તેવું સ્પષ્ટ થયું હોવાથી, અમે દિવાળી પહેલા શક્ય તેટલા સોદા નિપટાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અને હવે, શહેરમાં પોલીસની સક્રિયતા જોતા ડેવલપર્સ અને ખરીદદારો બંને રોકડની ટ્રાન્સફરથી સાવચેત બન્યા છે.”



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.