ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:22:17


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ સામાજીક આગેવાનો અને ધાર્મિક સંતો, મહંતોને પોતાના પડખે લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ સામાજીક આગેવાનો અને ધર્મગુરૂનો મતદારો પર સારો પ્રભાવ હોવાથી રાજકીય પક્ષો ચૂંટણીમાં તેનો ફાયદો લેવા માંગે છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.


નરેશ પટેલે PM મોદી સાથે શા માટે મુલાકાત કરી?


ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલ સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ PM મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત દરમિયાન કોઈ રાજકીય ચર્ચા ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નરેશ પટેલે પીએમ મોદીને ખોડલધામ મંદિર પર વડાપ્રધાનને પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મોદી સાથે માત્ર શુભેચ્છા મુલાકાત કરી હોવાનો દાવો રમેશ ટીલાળાએ કર્યો છે. જો કે, વિધાનસભાની ચૂંટણીના સમયે નરેશ પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. 



પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલે ઘણા સમય પહેલા રાજકારણમાં એક્ટિવ થવાના એંધાણ આપ્યા હતા. જો કે બાદમાં કોંગ્રેસ સાથે વાત આગળ વધી ન હોવાની બાબત સામે આવી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.