જયરામ રમેશે એક્ઝિટ પોલને નકાર્યા, કહ્યું "અમને ખબર છે કોણ કરાવે છે આવા એક્ઝિટ પોલ"


  • Published By :
  • Published Date : 2022-12-06 19:23:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂંર્ણ થયા બાદ સોમવારે સાંજે એક્ઝિટ પોલ આવ્યા હતા. આ તમામ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપની સરકાર આવી રહી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશનું નિવેદન આવ્યું છે. તેમણે એક્ઝિટ પોલને પાયાવિહોણા ગણાવ્યા હતા.


એક્ઝિટ પોલ અંગે જયરામ રમેશે શું કહ્યું?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બહાર આવેલા એક્ઝિટ પોલને નકારતા કહ્યું કે ભાજપ ગુજરાતમાં બહુમતીથી જીતી શકશે નહીં અને હું તેમ પણ નથી કહેતો કે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે. પરંતું હું જોઈ રહ્યો છું કે આપણા લોકતાંત્રિક સંસ્થાઓને નિષ્ક્રિય કરવામાં આવી રહી છે અને ગુજરાતના લોકોની ચિંતાઓની અવગણના કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલ અંગે વધુમાં તેમણે કહ્યું કે "હવે એક્ઝિટ પોલનો એક્ઝિટ થવાનો સમય આવી ગયો છે. એક્ઝિટ પોલ પર આધારીત સવાલ અયોગ્ય છે. એક્ઝિટ પોલની પોલ ખોલતા તેમણે કટાક્ષમાં કહ્યું કે અમને ખબર છે કે આ પ્રકારના એક્ઝિટ પોલ કોણ કરાવે છે? હું એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતો નથી, મને ખબર છે કે એક્ઝિટ પોલ કોના પ્રભાવથી અને કોણ કરાવે છે?"



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.