વિરમગામ અને ધંધુકા બેઠકને લઈ કોંગ્રેસનું કોંકળું ગુચવાયું, ઉમેદવાર અંગે પાર્ટીમાં ખેંચતાણ


  • Published By :
  • Published Date : 2022-11-14 21:46:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કર્યા છે, જો કે કેટલીક સીટો એવી છે જ્યાં ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. જેમ કે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી વિરમગામ અને ધંધુકા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બંને બેઠકોને લઈ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતી છે. 


યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ માંગી ટિકિટ


ધંધુકા અને વિરમગામ સીટને લઈ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મુંઝવણ વધારી છે.  હરપાલસિંહ ધંધુકા બેઠકથી ચૂંટણી લડવા જીદ કરી રહ્યા છે, જયારે પ્રદેશના નેતાઓએ ધંધુકા બેઠકની જીદ છોડવાનું કહેતા હરપાલસિંહે વિરમગામ બેઠક માંગી હતી. વિરમગામ બેઠકની માંગણી થતા પ્રદેશના નેતાઓમાં ખેંચતાણ વધી છે.


આ બંને સીટને લઈ રાજકારણ ગરમાયું


હરપાલસિંહ ચુડાસમાએ તેમની દાવેદારી નોંધાવી છે ત્યારે તે જાણવું પણ રસપ્રદ બની રહેશે હાલ વિરમગામ અને ધંધુકા બેઠક પર શું સ્થિતી છે. વર્તમાનમાં રાજેશ ગોહિલ ધંધુકાના ધારાસભ્ય છે.જયારે વિરમગામ બેઠક પર લાખા ભરવાડ વર્તમાન ધારાસભ્ય છે.જો વિરમગામ બેઠક હરપાલસિંહ ચુડાસમાને આપવામાં આવે તો ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ સામે તેમનો સીધો મુકાબલો થશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.