Gujarat : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર મૂકી એક પોસ્ટ તો કમેન્ટમાં TET-TAT પાસ ઉમેદવારોએ કરી કાયમી શિક્ષકોની ભરતીની માગ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-25 15:33:45

ગુજરાતમાં શિક્ષકોની કેટલી ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે.. અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે આપણે જાણીએ.. સોશિયલ મીડિયા પર ટેટ ટાટ પાસ ઉમેદવારો આ મુદ્દો ઉઠાવતા હોય છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ટ્વિટમાં ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે.  

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે... 

શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય સેટ નહીં હોય તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકે છે. સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ અનેક વખત એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલા તેમને અટકાવી દેવાતા..


શિક્ષણ મંત્રીએ પોસ્ટ મૂકી અને ઉમેદવારોએ કરી આ માગ

સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગે છે.. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી અને નીચે ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી.. અનેક ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ તેવા રિપ્લાય આપ્યા. મહત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની માગ ઘણા સમયથી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે..   






29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.