Gujarat corona cases: નવા 397 કેસ, કુલ 1992 એક્ટિવ કેસ, મહેસાણા અને અમદાવાદમાં 1-1 દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-04-12 21:56:36

ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 397 કેસ  કોરોના સંક્રમિત નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 350 દર્દી સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે પણ કોરોનાના કારણે મહેસાણા અને અમદાવાદમાં 1-1 એમ કુલ 2 દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. 


કુલ 1992 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 1992 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1988 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,72,830 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11065 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 139 કેસ


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો સૌથી વધુ 139 કોરોના કેસ તો એકલા અમદાવાદ જિલ્લામાંથી નોંધાયા છે. આ ઉપરાંત ત્યારબાદ મહેસાણામાં નવા 46 કેસ નોંધાયા છે. વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. સુરતમાં 41 કેસ નોંધાયા છે. વલસાડમાં 20 કેસ નોંધાયા છે. મોરબીમાં 16 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં 16 કેસ નોંધાયા છે. રાજકોટમાં 13 કેસ સામે આવ્યા છે. આણંદમાં 9 કેસ નોંધાયા છે. ભરૂચમાં 9 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 8 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 6 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. પાટણમાં 5 કેસ સામે આવ્યા છે. નવસારીમાં 4 કેસ, ભાવનગરમાં 4 કેસ, દાહોદમાં 3 કેસ, પંચમહાલમાં 3 કેસ, જામનગરમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, ખેડામાં 1 કેસ, કચ્છમાં 1 કેસ, મહીસાગરમાં પણ 1 કેસ સામે આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.