કાયમી શિક્ષકોની માગ સાથે Gujarat Congressએ કર્યું ટ્વિટ, Gujaratની શાળામાં શિક્ષકોની ઘટ અંગે આપી જાણકારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 12:31:36

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. વિરોધનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા તો આ મામલે રેલી કાઢવામાં આવી હતી. દાંડી યાત્રા 2.0નું આયોજન કરી તેમણે જ્ઞાનસહાયકનો વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસે કાયમી શિક્ષકોની ભરતીને લઈ ટ્વિટ કર્યું છે.

   

ન્યુઝ પેપર કટિંગ સાથે ગુજરાત કોંગ્રેસે કરી ટ્વિટ

કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં જ્યારે જ્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું છે તે આપણે જાણીએ છીએ. ઢસેડી ઢસેડીને ઉમેદવારોને લઈ જવામાં આવ્યા. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. ગુજરાત કોંગ્રેસે એક ન્યુઝ પેપર કટિંગ સાથે ટ્વિટ કર્યું છે જેમાં ગુજરાતની શાળાઓમાં કેટલા શિક્ષકોની ઘટ છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 30 હજાર શિક્ષકોની ઘટ સામે ભરતી માત્ર 9 ટકા જ શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.  


કવિતા લખી ઉમેદવારોએ ઠાલવી વેદના  

મહત્વનું છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અનેક વખત ગાંધીનગર આંદોલન કરવા જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. યુવરાજસિંહ પણ આ મામલે આક્રામક દેખાયા છે. અનેક વખત આ મુદ્દો તેમણે ઉઠાવ્યો છે. થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારે એક કવિતા મોકલી હતી જેમાં ઉમેદવારોની વેદના વ્યક્ત થતી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.