પરિવર્તન સંકલ્પ યાત્રાથી મતોનું પરિવર્તન કરશે કોંગ્રેસ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:51



ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મતદારોને જગાવવા અને તમામ શહેરી લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. ગઈકાલથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કર્યા બાદ આજે પણ અમદાવાદની આઠ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કરવાનું કોંગ્રેસનું આયોજન છે. 


અમદાવાદની વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પદયાત્રા 

અમદાવાદની મણિનગર, અમરાઈવાડી, વટવા, અસારવા, ઠક્કરબાપાનગર, બાપુનગર, નરોડા વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ ગઈ છે. તમામ વિધાનસભા બેઠકો માટે ખાસ કોંગ્રેસી નેતાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ શાસિત વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યોને હાજર રહેવા માટે કોંગ્રેસે પરિપત્ર કરીને જાણકારી આપી હતી. 


કયા વિધાનસભા ક્ષેત્રો પર કયા નેતાને જવાબદારી?

તમામ ક્ષેત્રો પર વિશેષ સંચાલન માટે કોંગ્રેસના નેતાઓને જવાબદારી આપી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરને ઠક્કરબાપાનગરમાં, અસારવામાં જિગ્નેશ મેવાણીને, અમરાઈવાડીમાં ભરતસિંહ સોલંકી, નિકોલમાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે. 


આજે સવારે 9 વાગ્યાથી બપોરના સુધી 4 વિધાનસભા ક્ષેત્રો પર કોંગ્રેસે પરિવર્તન સંકલ્પયાત્રા કરી હતી અને બપોર બાદ બાકીના ચાર વિસ્તારમાં જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને રોહન ગુપ્તા સહિતના નેતા વિધાનસભા ક્ષેત્રોમાં ઘરે-ઘરે જઈ પદયાત્રા કરશે. 


2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપથી થોડી જ ઓછી બેઠકો મળી હતી. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહેનત કરી રહી છે કે તેમનાથી બને તેટલી વધારે બેઠકો પર તેઓ જીત મેળવી શકે. આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ જામવાનો છેત્યારે હવે જોવાનું રહેશે કઈ પાર્ટી મતદારોને રીજવવા માટે શું કરી શકશે. કોંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસના અનેક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે ત્યારે આગામી સમયમાં પણ ભાજપ કોંગ્રેસને મોટું નુકસાન કરી શકે છે. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.