Gujarat : Congress બાકી રહેલી Loksabha Seat માટે આજે જાહેર કરી શકે છે ઉમેદવાર.. ઉમેદવારને લઈ બનેલા સસ્પેન્સનો આવશે અંત!


  • Published By :
  • Published Date : 2024-04-11 13:12:13

જ્યારથી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થયું ત્યારથી ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ભાજપમાં ઉમેદવારને લઈ સસ્પેન્સ હોય છે. ભાજપ કોને ટિકીટ આપશે તે સરપ્રાઈઝ હોય છે પરંતુ આ વખતે કંઈ અલગ થયું. ભાજપે ઘણા સમય પહેલા ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી પરંતુ કોંગ્રેસે હજી સુધી ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ત્યારે આજે ગમે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. બે સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. 



કોંગ્રેસ ચાર બેઠકો માટે ઉમેદવાર કરી શકે છે જાહેર 

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી વિરોધ થઈ રહ્યો છે અનેક બેઠકો પર. ભાજપના કાર્યકર્તાઓ જાણે ઉમેદવારથી નારાજ હોય તેવા દ્રશ્યો પણ અનેક વખત સામે આવ્યા છે. બે બેઠકો પર તો ભાજપે ઉમેદવાર બદલ્યા. પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ આજે બાકી રહેલી ચાર લોકસભા બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. 


પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ જાહેર કરાશે ઉમેદવાર  

રાજકોટ, અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત આજે કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. ના માત્ર ચાર લોકસભા બેઠક પર પરંતુ પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. એવી માહિતી સામે આવી છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવશે... ત્યારે કોંગ્રેસ કોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. મહત્વનું છે કે વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.