Ram Mandir નિમંત્રણ મુદ્દે Congress હાઈકમાન્ડના નિર્ણયથી Gujarat Congressના નેતાઓ નારાજ! નિર્ણયને વખોડતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-01-11 09:34:04

અયોધ્યામાં રામ મંદિરને લઈ પૂર્ણ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ હાજર થશે કે નહીં તે અંગે અસમંજસ ચાલી રહી હતી પરંતુ ગઈકાલે કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવી છે જે બાદ કોંગ્રેસમાં જ આંતરિક ડખા શરૂ થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાણે આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.   


ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડના નિર્ણયની ટીકા કરી!

22 જાન્યુઆરીએ અયોધ્યમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. ભગવાન રામના ભક્તો માટે આ અનેરી ક્ષણ હશે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે મળેલા આમંત્રણને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ. અનેક રાજનેતાઓને આ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ મળ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણઆ કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રણ મળ્યું છે. પરંતુ કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના નેતા નહીં જાય. તે બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં કોંગ્રેસ દ્વારા લેવાયેલા નિર્ણય અંગે નારાજગી દર્શાવે છે. અર્જુન મોઢવાડિયા, અંબરીષ ડેર સહિતના નેતાઓએ આ નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

કયા નેતાએ શું પ્રતિક્રિયા આપી?   

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અર્જુન મોઢવાડિયાએ લખ્યું કે ભગવાન શ્રી રામ એક આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને શ્રદ્ધાની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઇએ. તો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે આવું નિવેદન મારા જેવા ગુજરાત કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓને નિરાશા આપનારૂં છે. તે સિવાય હેંમાગ રાવલે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યં હતું કે રામ મંદિર નિર્માણની ગૌરવપ્રદ ક્ષણ સાક્ષી બનવાનું આમંત્રણ મને મળ્યું હોય તો હું અવશ્ય ગયો હોત પરંતુ હું દર્શન માટે જઈશ. 


શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

મહત્વનું છે કે આ નિર્ણય અંગે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોંગ્રેસના નિવેદનને જોયા કે સમજ્યા વગર કેટલાક જાણી જોઈને જૂઠ્ઠાણું ચલાવે છે. રાજકીય ફાયદા માટે ભાજપે આપેલા કાર્યક્રમનો હિસ્સો ન બની શકાય. મહત્વનું છે કે ગઈકાલે જયરામ રમેશ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે અયોધ્યા નહીં જાય.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!